________________
---
---
--
-
-
૪૫
૪
૫
-
એટલે કે તત્ત્વનિર્ણય કરવાનું પુનઃ પુનઃ રોજને રોજ સાંભળવાથી બની શકે. સાંભળવું એ બહારની ક્રિયા છે. સાંભળવું એ વ્યવહારમાર્ગ છે. એના આશ્રયે તત્ત્વજ્ઞાનરૂપી મોક્ષમાર્ગ બન્યો !! એમાં એમની વ્યવહારમૂઢતા ખરી કે નહિ ? સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમાં, સમ્યજ્ઞાન એટલે કે તત્ત્વજ્ઞાન, એ પણ મોક્ષમાર્ગ છે. એ મોક્ષમાર્ગ માટે સામાને સાંભળવાના વ્યવહારનો આગ્રહ કરવાની પ્રવૃત્તિ સ્વસિદ્ધાન્તથી વિરૂદ્ધ થઈ કે નહિ ? ત્યાં જો કહે, કે “એ જે આગ્રહ કરાય છે, તે વ્યવહાર છે.” તો શું વ્યવહાર એટલે ઢોંગ?
(૧૦) ત્યારે, એમના ભક્તો ગુરુઉપકારને ગાવાની સંગીતધૂત કરે છે. તે બાહ્યક્રિયા અને વ્યવહાર-માર્ગ છે. તેથી એમના સિદ્ધાન્ત મુજબ એ ક્રિયા બકરીના ગળામાં આંચળ જેવી નિષ્ફળ છે. એવું જાણવા છતાં એ ક્રિયા જો એ કરે છે તો તે પાગલતા કે બીજાં
કઈ ?
(૧૧) કુંદકુંદને “શ્રીમદ્ ભગવંત આચાર્યદેવ' કહેવા, તે વ્યવહારમાર્ગ છે. એમનો ઉપકાર માનવો, એય વ્યવહાર-માર્ગ છે. હવે જો તમારો સિદ્ધાન્ત એ છે, કે “વ્યવહારના આશ્રયે મોક્ષમાર્ગ નથી;” તો પછી એ બધી બાહ્ય-વ્યવહાર પ્રવૃત્તિ કરવી જ શા માટે? અને કરો છો, તે ઉંઘતા કે જાગતા? ઉપયોગી સમજીને કરો છો કે નિરુપયોગી ? નિરુપયોગી જાણવા છતાં જો કરતા હો તો એ બાળકની ધૂલિચેષ્ટા જેવી થશે. નવરાના ધંધામાં ગણાશે.
(૧૨) “મોક્ષમાર્ગના બીજભૂત-જ્ઞાનને આગમોમાં (સમયસારપ્રવચનસાર-નિયમસારમાં) સંઘરી રાખીને ભવ્યજીવો પર અમાપ ઉપકાર કર્યો છે..” એમ એ જે કહે છે, તે કહેવાનો શો અર્થ છે? શું ગ્રન્થકર્તા જીવ બીજા જીવ ઉપર ઉપકાર કરી શકે ? એવો શું એમનો સિદ્ધાન્ત છે ? ના, માટે એ પ્રવૃત્તિ સિદ્ધાન્ત વિરૂદ્ધ થઈ. વળી આ કહેવાની પ્રવૃત્તિ શા હેતુથી ? શું મોક્ષમાર્ગનું બીજભૂત-જ્ઞાન કે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org