________________
૪૩
કહે તો પછી એમને સીધો જ પ્રશ્ન છે, કે ચાહીને તમારી પ્રવચનની અને શ્રોતાની શ્રવણની બાહ્યક્રિયા જે કરાય છે, તે શા માટે? મિથ્યાત્વ ટકાવવા કે છોડાવવા ? સમ્યગ્દર્શનથી વંચિત રાખવા-રહેવા કે સમ્યગ્દર્શનથી યુક્ત બનાવવા-બનવા? અથવા શું પ્રવચન કરવાની કે સાંભળવાની પ્રવૃત્તિ વીતરાગ-આત્માની છે? અગર તો સંમૂર્છાિમઅસંજ્ઞી આત્માની છે ? આત્મા બેભાન હોય છતાં સહજ ભાવે એનામાં જે કાળસંબંધ થાય છે, એવી કાંઈ આ પ્રવૃત્તિ સહજ નથી. આ તો ઇરાદાપૂર્વક નિયત સમય સાચવીને તેમજ મન એકાગ્ર કરીને ક્રિયા થાય છે. તો તે શા માટે ?
(૧) જો એ એમ કહે કે અમારી ક્રિયા તો જડની છે, આત્માની નહિ, તેથી આત્માના પ્રયોજન વિનાની છે. તો તે ખોટું છે. કેમ કે તો પછી “મડદામાં કેમ એવી ક્રિયા નથી થતી?” એવો પ્રશ્ન ઊભો થાય છે. વળી ભલે એ જડની ક્રિયા કહે, તો પણ એનું કોઈ પ્રયોજન તો જોઈને ને ? ભલે જડનું પ્રયોજન કહો, પ્રવચન કરવા-સાંભળવાની ક્રિયાનું શું પ્રયોજન છે? કયા હેતુએ એ કરાય છે ? ત્યારે,
(૨) જો એમ કહે, કે અમારી પ્રવૃત્તિનું કોઈ પ્રયોજન નથી. તો એ પ્રવૃત્તિ ઉન્મત્તની પ્રવૃત્તિ જેવી થવાથી ઉપેક્ષણીય ઠરે છે.
(૩) જો કહે કે “ક્રિયા-પ્રવૃત્તિ તો તે તે દ્રવ્યના પરિપાકે અવશ્ય થવાની છે. નિમિત્તની તો માત્ર હાજરી હોય, એટલું જ બાકી શરીરાદિની ક્રિયા નિયત થયેલી છે, તે તે પ્રમાણે થયા કરે છે.” આવું જો એ કહે તો તેમાં તો માત્ર ગોશાળાનો એકલો ભવિતવ્યતાવાદ થયો. એ જો એમ કહે કે “ભલે એમ માનો.” તો પ્રશ્ન થશે, કે તો પછી આત્મદ્રવ્યમાં સમયગ્દર્શન પણ એમ જ નિયતિ મુજબ થઈ જશે . એ માટે પરદ્રવ્યની બાહ્યક્રિયા તો શું, પણ આત્માની પુરુષાર્થરૂપ ક્રિયાની પણ જરૂર નહિ રહે. તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org