SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ભાષાવર્ગણા, તેમાંથી શબ્દરૂપી પર્યાયો ઉત્પન્ન થઈ જશે. પછી પ્રયત્નનું અને કંઠ જીભ વગેરેના હલન-ચલનનું કે સંયોગનું શું કામ છે ? એમાં વળી, જો કંઠમાં કફ ભરાયો, તો કેમ શબ્દ નથી નીકળતો ? તેમજ, શબ્દ કાઢવા માટે કેમ કફને ખસેડી ગળું ચોકખું કરવું પડે છે ? ગળું જાદુ દ્રવ્ય છે, શબ્દ જુદું દ્રવ્ય છે; તેથી એકબીજામાં કારણ ન બની શકે. જે કારણ નહિ, તેની અપેક્ષા રાખવાની હોય નહિ. છતાં જરૂર અપેક્ષા રહે છે. માટે તો કહેવાય છે, કે “આજે પ્રવચનકાર મહાત્માનું ગળું બેસી ગયું છે, તેથી પ્રવચન બંધ છે !” ગળું એ કાંઈ પ્રવચનનું ઉપાદાન નથી, નિમિત્ત છે. છતાં પદ્રવ્ય એવા નિમિત્તની કેમ આટલી બધી અપેક્ષા ? કહો કે એ પણ ઉપાદાનની જેમ કારણ છે જ, ને કારણ વિના કાર્ય થાય નહિ. માટે જ એની એટલી બધી અપેક્ષા કરાય છે. પોતાની જ સ્વસિદ્ધાન્ત વિરૂદ્ધ પ્રવૃત્તિઓના બીજા દાખલા: વળી જાઓ, કે એક બાજુ તો એ કહે છે કે, “સ્વભાવના આશ્રયે જ મોક્ષમાર્ગની આરાધના છે, વ્યવહારના આશ્રયે મોક્ષમાર્ગ નથી.”વળી એમ પણ કહે છે, “બહારના ક્રિયાકાંડ કે વિકલ્પોથી સમ્યગ્દર્શન પમાતું નથી. એટલે તેને સહજ કહ્યું છે; અર્થાત્ સમ્યગ્દર્શન પામવા માટે બહારની પ્રવૃત્તિ કારણભૂત નથી. જરૂરી નથી.” આ એમનો પ્રમાણસિદ્ધ અને એકાંતે આદરણીય સિદ્ધાન્ત કહે છે. હવે આની સામે એમની જુદી જુદી વિરૂદ્ધ પ્રવૃત્તિઓ જાઓ: (૮) પોતાના માનેલા શુદ્ધ મોક્ષમાર્ગનું પ્રવચન કરવાનો વ્યવહાર તો રોજ કરે છે. તો તે પ્રવૃત્તિ શા માટે ભાઈ? “એથી સમ્યકત્વ પમાડવા હું નથી ઇચ્છતો, તેમજ જીવો એને સાંભળવાનો જે વ્યવહાર કરે છે, તે કાંઈ સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું કારણ નથી.” આવું જો એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy