________________
દ્રવ્ય બીજામાં કારણ ન બની શકે.”
(૨) વળી તત્ત્વનિર્ણય અને આત્મહિત માટે શરીદ્વારા સાધના જરૂરી માની, એમાં વ્યવહારમાર્ગની ઉપયોગિતા કહી. જ્યારે બીજી બાજા વ્યવહારમાર્ગને મોક્ષ માટે જરૂરી નથી માનતા !કેવા કેવા આ પોતાના જ વચનોના સામસામા વિરોધ છે ! હવે એમને કહો, કે જો વ્યવહારમાર્ગની ઉપયોગિતા છે; તો પ્રભુ-પૂજા, સામાયિક, વ્રતપચ્ચખાણ, ત્યાગ-તપસ્યા વગેરે ધર્મ-ક્રિયાના વ્યવહાર પ્રત્યે કેમ દ્વેષ કરો છો ? એ તો તારક વ્યવહાર છે. ઉલટું આરંભ-પરિગ્રહાદિ પાપક્રિયાનો વ્યવહાર જે મારક છે, એના તરફ તો કોઈ દ્વેષ તમે કરતા નથી ! એને છોડવાનું તમે કહેતા નથી, અને ધર્મ-વ્યવહારને છોડવાનું કહો છો ! ધર્મદેશનાના નામે કેવીક આ અધર્મ દેશના ! ભોળા અજ્ઞાન લોક પાસે ધર્મ વ્યવહાર છોડાવી એને પાપ-વ્યવહારમાં વધુ લીન બનાવવાનું કરો છો ! આ તમારી કેવી મહા અજ્ઞાન અને પાપભરી લીલા છે !! પાછું તમારું પ્રવચન શ્રવણ, માસિકવાંચનમનન, સમયસારાદિનું વાંચન વગેરે વ્યવહાર તો જાણીબૂઝીને કરાવો છો ! ત્યારે તમારી દયા આવે એવું છે, કે તમને કેટલું ઘેરું મિથ્યાત્વ વળગ્યું છે ! કેવા તમારા બોલ ઢંગધડાવિહીન છે ! અને તમારી ચાલ માયાભરી છે ! - આ તો “આત્મધર્મ” નામના માસિકના માત્ર એક અંક અંગેની મોટે ભાગે વિચારણા કરી છે. પરંતુ જો વર્ષોના એના અનેક અંકોની વિચારણા કરવામાં આવે તો એમાંને એમાં અપાર વચનોની પરસ્પરમાં જ અથડામણ મળે છે. એમના જ વચનો અંદર-અંદર એકબીજાને બાધક બને છે. એવા પાર વિનાના વિરુદ્ધ વચનોની સમાલોચના અહીં શું થાય! અસ્તુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org