________________
૩૬
ઉંઘતા એમણે મોક્ષાર્થી જીવને અવશ્ય વ્યવહારના આલંબન જોઈએ.” એમ કહ્યું. તેથી વ્યવહારના આલંબને મોક્ષમાર્ગ બન્યો. જ્યારે આક્ષેપ એવો કરે છે, કે “વ્યવહારમાર્ગના આલંબને મોક્ષ માને તે વ્યવહા૨-મૂઢ.” તો શું પોતે પોતાને વ્યવહાર-મૂઢ ઠરાવે છે ? આમ કેવો પરસ્પર વિરોધ એમના પોતાના જ વચનોમાં ઠામઠામ રહેલો છે !
‘દરેક દ્રવ્ય સ્વતંત્ર છે,’ એની અને ‘વ્યવહાર એ કારણ નથી', એની વિરુદ્ધ પોતાનું જ વચન.
હજી ઓર એમના જ વચન જુઓ, કે જે એમના પોતાના જ સિદ્ધાન્તનો સ્પષ્ટ વિરોધ કરી રહ્યા છે ઃ– “જુઓ આ સમ્યગ્દર્શન પામવાની તૈયારીવાળા જીવની પાત્રતા ! હજી સમ્યગ્દર્શન પામ્યા પહેલાં આવો નિર્ણય કરે છે, કે હું આત્મા અનાદિ-અનંત છું ને આ શરીરની સ્થિતિ તો અલ્પકાળની જ છે, માટે મારે તત્ત્વનિર્ણય કરીને મારૂં આત્મહિતનું પ્રયોજન સાધી લેવું.”
આમ કહીને એ સૂચવ્યું, કે આવો વિચાર કરનાર જીવમાં પાત્રતા છે. અર્થાત્ એ પાત્ર જીવ હોવાથી એનો આ વિચાર યોગ્ય વિચાર છે. વિચાર એવો કર્યો કે “શરીરની સ્થિતિ અલ્પકાળની છે. માટે મારે તત્ત્વનિર્ણય કરીને ’' એમાં એમ સૂચવ્યું કે, કે ‘તત્ત્વનિર્ણય તો, શરીર સ્થિતિ છે, ત્યાં સુધી જ શક્ય છે. આત્મહિત પણ ત્યાં સુધી જ શક્ય છે, અર્થાત્ શરીરસ્થિતિ નષ્ટ થયા પછી તત્ત્વનિર્ણય અને આત્મહિત નહિ થઈ શકે.” એનો અર્થ જ એ છે, કે ‘શરીરસ્થિતિ એ તત્ત્વનિર્ણયમાં કારણ છે.' એટલે.
પરસ્પર સ્પષ્ટ વિરોધ :– (૧) શરીરરૂપી એક પુદ્ગલ દ્રવ્યને બીજા આત્મદ્રવ્યના પર્યાયમાં કારણ માન્યું. ત્યારે બીજી બાજુ પાછા આ જ નિશ્ચયવાદી કહે છે કે ‘દ્રવ્ય ગુણ પર્યાય સ્વતંત્ર છે. એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org