________________
૩૫
વ્યવહાર-મૂઢતાનો આક્ષેપ કરે છે, ત્યારે એમનો વ્યક્તિ-દ્વેષ અને અહંભાવ સાબિત થાય છે. કેમ કે, એ કાંઈ સ્વયં વ્યવહારને સંપૂર્ણ તરછોડતો નથી. અલબત્ત શ્વેતામ્બરમાન્ય પવિત્ર ધર્મક્રિયા તરફ દ્વેષના હિસાબે વ્યવહારમૂઢતાનો આક્ષેપ કરી નાખે છે.
વ્યવહારમૂઢતાના પ્રસ્તુત આક્ષેપ અંગે જુઓ, કે એક બાજુ એ કહે છે ખરા કે “વ્યવહારમાર્ગના અવલંબને મોક્ષ માને, તે વ્યવહારમૂઢ છે.” આનો શો અર્થ છે ? એજ, કે “કોઈ મોક્ષનો માર્ગ (ઉપાય) દર્શાવતો હોય, એમાં જો એ ‘વ્યવહારમાર્ગના આશ્રયે મોક્ષ થાય છે.' એવું કહે તો તે ખોટું છે. એમ નહિ કહેવું જોઈએ. અર્થાત્ વ્યવહા૨-માર્ગને મોક્ષના ઉપાય તરીકે નહિ બતાવવો જોઈએ.' આવું એ કહે છે. એટલે એ એમ કહેવા માગે છે ખરા, કે ‘વ્યવહા૨માર્ગ એ મોક્ષનો ઉપાય નથી. મોક્ષ માટે ઉપયોગી જ નથી.''
જ
,
પરંતુ બીજી બાજુ પાછા એ જ લખે છે, કે “જે પોતાનું કલ્યાણ કરવા ચાહે છે, તેને પહેલો તો જ્ઞાનીનો ઉપદેશ મળવો જોઈએ. પાત્ર જીવને નિમિત્ત તરીકે જ્ઞાનીનો ઉપદેશ જ હોય છે.” આમાં જાઓ, કે વ્યવહારમાર્ગને ઉપાય તરીકે કહ્યો કે નહિ ? “પહેલા તો જ્ઞાનીનો ઉપદેશ મળવો જોઈએ.' એમ કહેવાનો અર્થ જ એ છે, કે શાનીના ઉપદેશની પ્રાપ્તિ એ જે વ્યવહારમાર્ગ છે, તે કલ્યાણાર્થી માટે પહેલો જરૂરી છે. વળી જે કહે છે કે, “પાત્ર જીવને નિમિત્ત તરીકે.’ તેમાં નિમિત્તનો અર્થ આલંબન છે. તેથી એમનું કહેવું એ થયું કે “પાત્ર જીવને એટલે કે મોક્ષાર્થી જીવને આલંબન તરીકે ઉપદેશ જ હોય છે.” આમાં ‘ઉપદેશ જ’ એમ ઉપદેશ સાથે “જ” કાર મૂક્યો. તેથી સૂચવ્યું કે ‘ઉપદેશ વિના ન જ ચાલે.' વાત પણ સાચી છે! એમને ત્યાં પણ ઉપદેશથી જ લોક ખેંચાય છે; અને એમનું સમજતા થાય છે. એવું જ સન્માર્ગમાં પણ લોક ઉપદેશથી ખેંચાય છે, અને સન્માર્ગ સ્વીકારીને મોક્ષના આરાધક બને છે, એથી જ “જાગતા કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org