________________
૩૩
છે કે “વ્યવહારને તમે ભલે ઔપચારિક કહો, પણ એની ખૂબ જ ઉપયોગિતા ગણો છો. વ્યવહારના આલંબનથી જ નિશ્ચયની વસ્તુ પ્રગટ થાય છે,– એમ હૃદયમાં સમજી જ રહ્યા છો.”
વ્યવહારની અસર છે, એમાં પ્રવચનસારનું પ્રમાણ
વ્યવહારની આત્મા પર જો અસર ન માનો, તો એ કહો, કે શાથી પ્રવચનસારની કઢી ગાથાની ટીકામાં.
“આત્માને સરાગ ચારિત્રના ફળરૂપે દેવેન્દ્રાદિના વૈભવરૂપી ફલેશ મળે છે.” એમ કહ્યું છે? ત્યાં પ્રશ્ન થાય છે, કે
(૧) વૈભવ તો બાહ્ય ચીજ છે, એને આત્મા સાથે શો સંબંધ ? જો સંબંધ છે, તો તે સંબંધ વ્યવહારથી કે નિશ્ચયથી ? જો નિશ્ચયથી સંબંધ ન હોય, તો આત્માને માટે ખરાબ શું ? કે જેથી આત્માને મળતા વૈભવ માટે “કુલેશ મળે છે” એમ કહ્યું? તેવી જ રીતે.
(૨) આત્માના સરાગચારિત્રના કાર્ય તરીકે દેવેન્દ્રાદિના વૈભવને કહો છો, તેમાં તો “એક દ્રવ્યની બીજા પર અસર નહિ,' એવા તમારા ઐકાન્તિક સિદ્ધાન્તથી વિરૂદ્ધ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કારણ બન્યું ! સરાગચારિત્રનો અશુદ્ધપર્યાયી આત્મા એ દેવદિવૈભવરૂપ પુદ્ગલ દ્રવ્યનું કારણ બન્યો. તે તમારા મતે કેમ ઘટે?
આ એક સમજવાની વસ્તુ છે. “વ્યવહાર તો ઔપચારિક છે.” એમ કહી વ્યવહારને કિંમત વિનાનો ગણો છો, “વ્યવહારથી વસ્તુને કાંઈ અસર ન થાય” એમ માનો છો, છતાં “સરાગચારિત્રથી સ્વર્ગીયવૈભવનો કલેશ આત્માને મળે છે,” એમ કહો છો ! પરંતુ એ કહો કે કિંમત વિનાની ઔપચારિક વસ્તુથી શાબાશીયે શી ? અને નાલેશીયે શી ? ત્યારે જો કહો કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org