________________
૩૨
(૪) શું વ્યવહારનયની વસ્તુ અકરણીય છે ? એમાં ત્યજવાનું કે આદરવાનું કાંઈ જ નથી ?
(૫) ત્યારે, શું વ્યવહારના આચરણથી એકાંતે આત્માની અશુદ્ધિ વધે છે ?
આમાં એકેયના ઉત્તરમાં ‘હા’ નહિ કહી શકાય. વ્યવહારનય પ્રામાણિક છે, તો જ સ્યાદ્વાદ ઘટી શકે છે. વ્યવહારનું અભિધેય સત્ છે. નિશ્ચયની દૃષ્ટિએ વ્યવહારનય ઔપચારિક છે, એનો અર્થ એ નથી કે ‘એ જીઠો છે; એનાથી અશુદ્ધિ વધે છે.' કેમકે વ્યવહારનેય કહેનારા શ્રી સર્વજ્ઞ ભગવાન છે તે જાઠું કહે જ નહિ. તેમજ અશુદ્ધિ તેને વધી ગણાય જેનાથી આત્મા મોક્ષથી વધુ આઘો પડે. અહીં તો વ્યવહાર ચારિત્રતપથી સ્વર્ગ સાધવા દ્વારા સીધો મહાવિદેહ. જેવામાં જઈ મોક્ષ સાધનારો બને છે.
પ્ર. :- નિશ્ચયનયની દૃષ્ટિએ વ્યવહાર જૂઠો ખરો ને ?
ઉ. :– એમ તો વ્યવહારનયની દૃષ્ટિએ નિશ્ચયનય જૂઠો, માટે નિશ્ચયને જાઠો કહેશો ? ત્યારે ખરી વસ્તુ એ છે, કે નિશ્ચયનય અને વ્યવહારનય એ મધ્યસ્થ-દૃષ્ટાની બે આંખ છે. એ બે આંખોમાંથી એક આંખે જ જોઈ શકનારો કાણો કહેવાય છે. એકાંતવાદી મતોની આવી દશા છે ! એવી જ આ નવા મતની પણ દશા છે. વ્યવહારનય એ નિશ્ચયની દૃષ્ટિએ ઔપચારિક છે, પરંતુ પોતાની દૃષ્ટિએ ઔપચારિક નહિ, પણ મુખ્ય છે. એ વસ્તુ-તત્ત્વને અનુલક્ષીને તો તમે પણ મુખ્યપણે તમારા માનેલા મત ઉપર વિચાર, પ્રચાર અને પ્રસિદ્ધિ વગેરેની બહોળી યોજનાઓ ઘડો છે ! અને એને અમલમાં મૂકો છો! જો વ્યવહારના અભિપ્રાયની ઉપયોગિતા ન સમજતા હોત, તો આટલો બધો વિચાર, પ્રચાર અને પ્રસિદ્ધિ વગેરે કરવા પાછળ તે બાહ્ય ઉદ્યમરૂપી વ્યવહાર શા માટે કરત ? ઉદ્યમ કરો છો, એ સાબિત કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org