________________
૩૧
થવાનો દોષ આવ્યો, ત્યારે જો એમ કહો કે,
પ્ર. :- આત્માએ કર્મ કર્યું જ નથી, તો ?
ઉ. – સમ્યકત્વના સ્થાનનું કેમ થશે ? એમાં તો ત્રીજા સ્થાનમાં આત્માને કર્મકર્તા કહ્યો છે. આ રહ્યા છ સ્થાન :
(૧) જડ દેહથી જાદુ દ્રવ્ય આત્મા છે. (૨) આત્મા નિત્ય છે. (૩) આત્મા કર્માદિનો કર્તા છે. (૪) તે (કર્માદિનો) ભોક્તા છે. (૫) આત્માનો મોક્ષ છે; અને (૬) મોક્ષના ઉપાય સંયમાદિ છે.
એમ છ સ્થાન ઉપર શ્રદ્ધા રાખે તે આસ્તિક અને સમકિતી છે. એમાં તો આત્માને કર્મનો કર્તા કહ્યો છે. જયારે તમારે તો આત્માને કર્તા માનવો નથી ! તો ષસ્થાનની શી સંગતિ કરશો? ત્યારે જો કહો કે,
પ્ર. – “એ તો વ્યવહારથી કર્મનો કર્તા-ભોક્તા છે; નિશ્ચયથી તો આત્મા કર્મનો કર્તાય નથી કે ભોક્તાય નથી.” ઉ. – તો હવે નીચેના ટંકશાળી પ્રશ્નોના ઉત્તરો આપો.
નવામતીને પ્રશ્નો (૧) શું વ્યવહારનય અપ્રામાણિક છે ? અસત્ય છે ? (૨) વ્યવહાર-સિદ્ધ વસ્તુને કહેનારા પ્રભુએ શું અસત્યનું પ્રતિપાદન
કર્યું છે ? (૩) શું વ્યવહારનયનું અભિધેય ખોટું (અલીક-અસત) છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org