________________
૩૦
જો વિકાર ન માનો તો પુદ્ગલવિપાકી, જીવવિપાકી, ભવવિપાકી વગેરે કર્મોની જુદી જુદી અસર શી રીતે વર્ણવશો? એમાંય ખાસ
જીવવિપાકી કોને કહેશો અને શાથી? કેમકે તમારે ત્યાં તો બાહ્ય કર્મની આત્મા પર કાંઈ અસર જ નથી, તો “જીવવિપાકી કર્મ એટલે જીવ પર સીધો વિપાક દેખાડનાર કર્મ,’ એ વસ્તુ જ ખોટી ઠરશે.
(૧૫) વળી દ્રવ્ય-ગુણ-પર્યાયનું જો એકાંત સ્વાતંત્ર્ય છે, તો તેથી ન તો આત્માની એ સ્થિતિની અસર બાહ્ય પુદ્ગલ પર મનાય, કે ન બાહ્યની અસર આત્મા પર મનાય. તેથી જ પ્રશ્ન એ થશે, કે આત્માનો દેવ કે માનવભવનો પર્યાય થવામાં હેતુ કોણ? ઉત્તરમાં આયુષ્ય કર્મને જ ખાસ હેતુ કહેવો પડશે. એ જ આત્મપર્યાયની પરતંત્રતા અને એ જ કર્મથી વિકાર !
(૧૬) ત્યારે દેવતાઈ કે માનવી શરીર બનવામાં મુખ્ય કારણ કોને કહેશો? જો આત્મા કહો, તો તે તો પરદ્રવ્ય છે. જો બાહ્યકર્મને કારણ કહો, તો તે પણ શરીરનાં પુદ્ગલ કરતાં સ્વતંત્ર દ્રવ્ય છે. તેથી તેને કારણ નહિ કહી શકો. ત્યારે,
(૧૭) જીવને શરીરાકાર કેમ પરિણમવું પડે છે ?
આ બધું સૂચવે છે કે દ્રવ્ય-ગુણ-પર્યાયની એકાંતે સ્વતંત્રતાની વાત ખોટી છે. તેથી નવા મતના વચનો પરસ્પર વિરુદ્ધ હોઈ એકાંતવાદમાં ઠરી બેસે છે. એવાં વચનો મહાપુરુષ પર વ્યવહારમૂઢતાનો આક્ષેપ કરે, એ બેહુદું છે.
(૧૮) તીર્થંકર નામકર્મના ઉદયનું કાર્ય શું? ઉદયની અસર કોના ઉપર ? જો કહો કે આત્મા પર નહિ, તો કૃતકર્મનાશની આપત્તિ ઊભી થશે. આત્માએ કર્મ બાંધેલું ખરું, પણ તમારા હિસાબે તે ભોગવ્યું તો નહિ. તેથી કરેલા કર્મનો એમ જ નાશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org