________________
( ૨૯
એટલે શું ? આના શા જવાબ છે ? અહીં સંસાર આત્માનો જ માનવો પડશે; કર્મનો નહિ, પુદ્ગલ શરીરાદિનો નહિ. સંસાર એટલે કર્મસંયોગથી થયેલી આત્માની અશુદ્ધ અવસ્થા કહેવી જ જોઈશે. તો તેમાં,
(૧૧) કર્મસંયોગથી અશુદ્ધ અવસ્થા, અને કર્મના વિયોગથી શુદ્ધ અવસ્થા, એવું માનો કે નહિ ? ન માનો તો જૈન દર્શનના કૃત્ન (સકલ) કર્મક્ષયથી મોક્ષ', એ સિદ્ધાન્તનો કોઈ અર્થ નહિ રહે. કર્મ સંયોગે જ સંસાર છે. તેથી જ કર્મના કારણે જ આત્મા પર સંસાર નામનો વિકાર માનવો પડશે. એ વિકાર તો જ મીટે કે જો સર્વ કર્મનો વિયોગ થાય.
(૧૨) આત્મામાં કર્મથી વિકાર નહિ માનો તો ઔદયિકભાવ કોનો કહેશો ? અને શાથી કહેશો? એકલા કર્મનો નહિ કહેવાય, કેમ કે કર્મ તો પુલ છે, ને તેનો તો સાદિ-પારિણામિક ભાવ માન્યો છે. પાંચ ભાવની અંતર્ગત ઔદયિકભાવ તો આત્માનો માન્યો છે. હવે પૂછો કે “એ શાથી નીપજે છે ?” તો કહેવું પડશે કે કર્મના ઉદયથી નીપજે છે. એનું જ નામ “કર્મના ઉદયથી વિકાર આત્મામાં થયો. આ માટે જો બાહ્ય દ્રવ્યકર્મ ન લો, તો “ઔદયિકભાવ' એ પદમાં ‘ઉદય' શબ્દ છે તેનું શું? આત્માની કઈ એવી વસ્તુ લેશો કે જેને “ઉદય' શબ્દ લગાડી એનો ઔદયિકભાવ કહી શકો ?
(૧૩) એવી રીતે બાહ્ય કર્મપુદ્ગલની અપેક્ષા ન રાખો, તો આત્મામાંની કઈ વસ્તુને જૈનદર્શનનો ખાસ પારિભાષિક શબ્દ “ક્ષયોપશમ' લગાડી શકો ? “ક્ષાયોપથમિકભાવ' કેવી રીતે ઘટાવી શકો? માટે જ, આત્મામાં થતા આ બે વિકાર પ્રત્યે બાહ્ય કર્મના ઉદયની અને ક્ષયોપશમની અસાધારણ કારણતા માનવી જ પડશે.
(૧૪) વળી એ પણ વાત છે, કે કર્મના ઉદયથી આત્મામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org