________________
૨૭
અથવા એ કથન પોકળ નહિ ઠરે ? ત્યારે જો એમ કહે, કે અમે દેવત્વ-મનુષ્યત્વ વગેરે વિકારની વાત નથી કરતા, અમે તો રાગાદિ વિકારની વાત કરીએ છીએ.' તો પણ એટલું તો સ્વીકારી લીધું કે આત્મામાં દેવ-મનુષ્યપણાના વિકાર કર્મના ઉદયથી થાય છે. તેથી તમારૂં જે સામાન્ય વચન-‘કર્મના ઉદયથી આત્મા વિકારી નથી થતો', એ વચનનો વ્યાઘાત આવ્યો. છતાં ખેર !
હવે રાગાદિ અંગે જુઓ—એમાં પણ પૂર્વના જેવા પ્રશ્ન થશે કે, પુદ્ગલ દ્રવ્યની આત્મા પર અસર છે, એ માટેના પ્રશ્નો :
(૧) આત્મામાં થતા રાગાદિ ભાવોને રાગમોહનીય આદિ દ્રવ્યકર્મની પ્રકૃતિ-સ્થિતિ-રસ-પ્રદેશ સાથે કંઈ મેળ છે કે નહિ ? અર્થાત્ રાગાદિ ભાવો એ કર્મની પ્રકૃતિ આદિને અનુસરે છે કે નહિ ? એના પર આધાર રાખે છે કે નહિ ?
(૨) જો રાગાદિકર્મપુદ્ગલો ઉગ્ર રસવાળા, તો જીવમાં રાગપરિણતિ તીવ્ર; અને પુદ્ગલો જો મંદ રસવાળા તો આત્માની રાગાદિપરિણતિ મંદ; એવું ખરૂં કે નહિ ? જો ના, તો
(૩) કાર્મણ વર્ગણામાંથી કર્મ પુદ્ગલ થવાની જરૂર જ શી ? (૪) આત્માના સહકાર વિના કાર્પણ પુદ્ગલમાંથી કર્મ કેમ નથી બનતા ?
(૫) કર્મ-પુદ્ગલના પ્રકૃતિ વગેરેના ઉદયને બરાબર અનુસરીને જ સાથે આત્મામાં કેમ ઔદિયકભાવ કામ કરે છે ?
(૬) રાગાદિ ભાવો જો કેવળ આત્માના જ ધર્મભૂત એવા ભાવકર્મને અનુસરતા હોય, તો એ ભાવકર્મમાં પ્રકૃતિની વિવિધતા શી રીતે ? અને એના રસ અને પ્રદેશ શું ચીજ ? ખુદ ભાવકર્મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org