________________
૨૫
આત્માના મૂળ શુદ્ધ સ્વરૂપમાં દ્રવ્યલિંગી સાધુપણું નથી, તેથી દ્રવ્યલિંગી સાધુપણું એ આત્મામાં એક પ્રકારનો ફેરફાર થયો. તેમ દેવપણું એ પણ આત્માનું કાયમી સ્વરૂપ નથી, તેથી એ આગન્તુક ફેરફાર થયો ગણાય. મૂળ શુદ્ધ વસ્તુને ‘પ્રકૃતિ' કહેવાય છે, અને તેમાં આગંતુક ફેરફાર થાય તે ‘વિકૃતિ’-‘વિકાર' કહેવાય છે. આ વિકાર પુદ્ગલના શરીરનો જ નહિ મનાય, કિન્તુ જીવનો માનવો પડશે. કેમકે જીવના આધારે એ શરીર રચાય છે; અને દેવપણું, મનુષ્યપણું વગેરે ફેરફારની અસર જીવ પર પડે છે; જીવને તેવું જ્ઞાન, તેવી સંજ્ઞા, તેવા સંસ્કારોનું જાગરણ થાય છે.
પરદ્રવ્યની અસરનો કર્મમાં સચોટ દાખલો :- હવે એમને પૂછો કે એ વિકાર શાથી થયો ? એકલા શુભભાવથી કે શુભભાવ દ્વારા ઉત્પન્ન થયેલા પુણ્યકર્મના ઉદયથી ? એકલા શુભભાવથી જો થતું હોય તો તો અહીં શુભભાવ કરતાંની સાથે દેવપણાનો વિકાર થવો જોઈએ. ત્યારે જો કહો કે,
પ્ર. :- ‘શુભભાવથી આત્મામાં ભાવકર્મ ઉત્પન્ન થયું, તેના ઉદયથી વિકાર માનીએ છીએ, તો ?'
ઉ. :- નિશ્ચયનયના શુદ્ધ આત્માના સ્વભાવમાં ભાવકર્મ જેવું કાંઈ હોય ?
પ્ર. :- વ્યવહા૨મતે હોય; અને વ્યવહાર પણ અમે માનીએ છીએ. તો ?
ઉ. :- સાથે એ સમજી લો, કે એ આંતર વ્યવહારની સાથે બાહ્યવ્યવહાર સંકળાયેલો જ છે, તો પછી એ વ્યવહારની જેમ અવશ્ય જરૂરી એવા બાહ્ય વ્યવહારની અસરનો અપલાપ કેમ કરો છો ? આમ તો તમે કહો છો જ, કે દ્રવ્યલિંગી જીવ સાધુપણાથી શુભભાવ દ્વારા ત્રૈવેયકમાં જાય છે. આત્મામાં ત્રૈવેયક દેવપણાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org