________________
૨૧
સિવાય બીજાનો નિષેધ કર્યો. એમાં વસ્તુના ઔપાધિક (ભાડુતી) રૂપનો પણ નિષેધ આવ્યો, તેમ પર વસ્તુના સ્વરૂપનો પણ નિષેધ આવ્યો. એથી વસ્તુના ઔપાધિકરૂપ પર તથા પર વસ્તુના આધાર પર મોક્ષમાર્ગ ન જ હોય એમ આ ક્શનનો ભાવ છે. ત્યારે પૂર્વે કહ્યું કે, ગુરુના મહાન પ્રતાપે જ ભવ્ય જીવોને કલ્યાણમાર્ગ-મોક્ષમાર્ગ પ્રાપ્ત થયો છે. આનું નામ સ્વવચનોમાં સામસામો વિરોધ છે.
વળી “એક દ્રવ્ય પર બીજા દ્રવ્યની અસર ન જ થાય' એવા એમના જ સિદ્ધાન્ત વિરુદ્ધ એમનું જ બીજાં એક લખાણ જુઓ. એ કેવું નીતરતા વ્યવહારનું સમર્થક છે, તે પણ સાથે જ જણાશે. એ કહે છે કે,
જે પોતાનું કલ્યાણ કરવા માગે છે, તેને મંદકષાય અને જ્ઞાનનો ઉઘાડ તો હોય જ. એ ઉપરાંત પહેલાં તો જ્ઞાની પાસેથી સાચો ઉપદેશ મળવો જોઈએ, અજ્ઞાની કુગુરુઓના ઉપદેશથી યથાર્થ તત્ત્વનિર્ણય થાય નહિ. (અર્થાત જ્ઞાનીના જ ઉપદેશથી જ યથાર્થ તત્ત્વનિર્ણય થાય.)''
આ સ્પષ્ટપણે જ્ઞાનીના ઉપદેશની પ્રાપ્તિના વ્યવહારથી તત્ત્વનિર્ણય થવાનું કહે છે. ત્યાં શું (૧) વ્યવહારમૂઢતા નહિ આવે? વળી (૨) પોતાના નિશ્ચય મતના સમર્થક બીજા કથન સાથે વિરોધ નહિ આવે ?
આ રહ્યું તે કથન:- “ભૂતાર્થ સ્વરૂપનું અવલંબન તેજ ભેદજ્ઞાનનું (તસ્વનિર્ણયનું) કારણ છે. જેઓ નિશ્ચયને જાણતા નથી, ને વ્યવહારની રુચિ કરીને કુગુરુના ઉપદેશથી તત્ત્વનિર્ણય થાય નહિ, સુગુરુના ઉપદેશથી જ તત્ત્વનિર્ણય થાય, એમ કરી તેની ઉપર જોર આપે છે, તેમને કદી ભેદજ્ઞાન કે મોક્ષમાર્ગ થતો નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org