SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ઉ. :- આની સામે ત્રણ પ્રશ્નો છે : (૧) મુમુક્ષુને ગુરુ ઉપકારી કે સ્વદ્રવ્ય ઉપકારી? સ્વદ્રવ્ય જ ઉપકારી હોય તો સંતની છાયા શી ? (૨) ગુણાનુવાદ વ્યવહારથી કરવાનું પણ શું કામ છે? જો કરે તો મિથ્યાત્વ લાગે કે નહિ ? કેમકે ગુરુમાં ઉપકારકતાનો ગુણ માનતા નથી અને ગુણાનુવાદ કરે છે; એ મિથ્યા ભાષણ છે. (૩) વ્યવહારથી ઉપકારકતા છે, એમ કહો તો પ્રશ્ન એ છે કે ઉપકારકતા વાસ્તવિક સમજવી કે કાલ્પનિક ? કાલ્પનિક ઉપર કાંઈ કરવાનું હોય ખરું? આ બધું સૂચવે છે કે વ્યવહાર-પ્રવૃત્તિ ઉપયોગી છે, લાભકારી છે. વળી બીજાં વિરોધી વચન જાઓ : આપના મહાન પ્રતાપે જ ભવ્યજીવોને કલ્યાણનો ધોરી માર્ગ પ્રાપ્ત થયો છે,” એમ એમને એમના સિદ્ધાન્તાનુયાયી કહે છે. આમાં પણ “જ કાર છે, તે પણ સૂચવે છે કે “ગુરુરૂપી પરદ્રવ્યનો પ્રતાપ કલ્યાણમાર્ગની પ્રાપ્તિમાં અસાધારણ કારણ છે.” એમના સિદ્ધાન્ત એ કેટલું જાકું ? ક્યાં સિદ્ધાન્ત? અને ક્યાં જૂઠો વ્યવહાર? :- અહીં “સંતની શીતલ છાયાએ અને “એમના પ્રતાપનું આલંબન'એ બંનેય વ્યવહાર છે, નિશ્ચય નથી. એક બાજા ગુરુરૂપી પરદ્રવ્યનો આધાર લેવો અને એ વ્યવહારને જ કલ્યાણમાર્ગ એટલે કે મોક્ષનો ધોરી માર્ગ કહેવો, અને બીજી બાજા પદ્રવ્ય કશું કરતું નથી એમ પ્રરૂપી નિશ્ચય સ્વભાવના આશ્રયે જ મોક્ષમાર્ગ છે, એમ કહેવું, એ શું પરસ્પર વિરુદ્ધ નથી? નિશ્ચય સ્વભાવના આશ્રયે જ એટલે “વસ્તુના પોતાના જ મૂળ સ્વરૂપના જ આશ્રયે.' આ અર્થ છે. આમાં વસ્તુના સ્વસ્વરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy