SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ પણ હવે સમજ્યા હશો કે વ્યવહારની સલામતી ઉપર નિશ્ચય ટકાવી શકીએ છીએ. ત્યારે એ તો જાઓ કે પ્રભુની વાણીનો પ્રકાશ એ શું છે ? વ્યવહાર જ ને ? તેમ સંઘસ્થાપના, ને સંઘના આચારો અનુષ્ઠાન એ પણ વ્યવહાર જ ને ? તો પછી ભણવું-ભણાવવું, વ્યાખ્યાન કરવા-સાંભળવા, એ પણ વ્યવહારમાર્ગ કે બીજાં કાંઈ ? તેવી રીતે, શાસ્ત્રો લખાયા, રક્ષાયા એ પણ વ્યવહાર જ ને ? નિશ્ચયથી જે મોક્ષમાર્ગ છે, એની નજીક લઈ જનારો આ બધો વ્યવહારથી મોક્ષમાર્ગ છે, એના વિના ક્યાં ચાલી શકે એમ છે ? તેથી એ નક્કી થયું કે વ્યવહારના પ્રવાહથી શાસનનો પ્રવાહ ચાલી આવ્યો અને એણે નિશ્ચયદષ્ટિ શિખવાડી, તો આમાં તો વ્યવહારની મહાન ઉપયોગિતા સાબિત થઈ; પણ એની જરૂરિયાત ઉડી ક્યાં ? એકલા નિશ્ચયમાં તો વેદાન્તી કે બૌદ્ધ વગેરે થવું પડે. પ્ર. :- પણ હવે ઓળખ્યા પછી તો એકલો નિશ્ચય સાચો ને ? ઉ. :- ના, અહીં પણ પ્રવચન-શ્રવણ, મિથ્યાચારના વાતાવરણનો ત્યાગ, વગેરે વ્યવહાર સેવવા પડે છે. એમાં પણ આગળ વધીને તત્ત્વની વિચારણાનો વ્યવહાર આદરવો જ પડે છે. પાછું આવા તત્ત્વ વિચારકોના સંયોગ રાખવા મન ખૂશી રહે છે. એય વ્યવહાર છે. માટે એકલા નિશ્ચયની વાત કરે છે તે ખોટી છે. ખરી રીતે તો તે ઓળખ્યા પછી વ્યવહારનો મોટો ભાર ઉઠાવવો રહે છે. વીરપ્રભુએ ઘોર તપ-ઉપસર્ગ સહન કર્યા, એ વ્યવહાર શું નકામો ? વ્યવહારનય સાપેક્ષ નિશ્ચયનય સાચો. જૈનશાસનને માન્ય ઉભય નય છે :- દ્રવ્યાર્થિકનયનો અવિરોધી, અર્થાત્ વિરોધ ન કરનારો પર્યાયાર્થિકનય સાચો; પર્યાયાર્થિકનયનો અવિરોધી દ્રવ્યાર્થિકનય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy