________________
૧૩
કે ઉપાદન વિના કાર્ય હોય તેમ એમ નથી જોયું કે કાર્યને થવા માટે નિમિત્તની જરૂર ન પડી હોય. કાર્યમાં જેની જરૂર પડે, જેના વિના ક્યાંય કાર્ય બન્યું એમ દેખાય નહિ, કાર્ય બનવાની પૂર્વ ક્ષણે જે અવશ્ય હાજર હોય, તે કારણ કહેવાય. માત્ર, નિમિત્ત એ ઉપાદાન કરતાં જુદી જાતનું કારણ છે. માટે તો આ નિમિત્તકારણ કહેવાય છે. પણ એ કાર્યરૂપ નથી બનતું, કે ઉપાદાનની ગેરહાજરીમાં કાર્ય નથી સાધતું, એટલા માત્રથી એ નિમિત્ત કશું કરતું નથી એમ નહિ કહી શકાય. નહિતર માત્ર ઉપાદાનને કારણ માનવા પહેલાં એ પ્રશ્ન થશે કે ‘નિમિત્તની ગેરહાજરી સુધીમાં ઉપાદાન એમ જ પડી રહે છે કશું કરતું નથી. માટે ઉપાદાનને કારણ કેમ કહેવાય? છતાં ઉપાદાનને એકલાને કારણ માનવું છે તો એકાંતવાદ થશે.
એકાન્ત વચનોના દૃષ્ટાન્ત :- વાત એ ચાલે છે કે શુભ આલંબન અને શુભ વ્યવહાર એ મોક્ષમાં નિમિત્તકા૨ણ છે, એમ માનવું જોઈશે જ. જો એકલા શુદ્ધ ઉપયોગને જ કારણ કહેશો, અર્થાત્ ‘માત્ર શુદ્ધભાવ એ જ મોક્ષ થવામાં કારણ છે, પણ શુભભાવ નહિ,' એમ કહેશો તો એ એકાન્ત સિદ્ધાન્ત થશે. તે સ્યાદ્વાદથી વિરુદ્ધ છે. વળી ‘એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કારણ બનતું જ નથી એય એકાન્ત-સિદ્ધાન્ત છે.’ ‘બાહ્ય ક્રિયાઓ નકામી છે.’ ‘દ્રવ્યકર્મની આત્મા પર કોઈ અસર નથી...' આવા આવા તો કેટલાય એકાન્ત કથનો આ નવા ઉપજાવી કાઢેલા મતમાં છે. એ બધુ ચર્ચવાનો અહીં અવસર નથી. અહીં તો એ વાત છે કે નવીનમતના નિશ્ચય વ્યવહાર અનેકાન્તવાદની વિરુદ્ધ જાય છે. કેમ કે એમાં એકાન્ત પ્રતિપાદનો છે, એકાન્તનિરુપણો છે. અને એકાન્ત નિરુપણો જૈની સ્યાદ્વાદ શૈલીથી તદ્દન વિરુદ્ધ છે, માટે એ જૈનશાસનથી બાહ્ય થઈ જાય છે.
અનેકાન્તના દૃષ્ટાન્તો :- અનેકાન્ત નિરુપણમાં તો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org