________________
૧૦
હવે એમને પૂછીએ કે બધાયને તમે જે તત્ત્વ સમજો છો અને એને મોક્ષ હેતુ તરીકે માનો છો, એ કોઈને સમજવું હોય તો તે કેવી રીતે સમજી શકે ? શું તમારી પાસેથી ઉપદેશ દ્વારા એને સાંભળ્યા-જાણ્યા વિના હાથમાં આવે? ના, કેટલાયને તમારી પાસેથી એ સાંભળીને અને કેટલાયને વાંચીને આવે છે, એવો તો તમારો અનુભવ છે. તેથી જ તમે સંભળાવવા રોજ ભાષણ કરવાનો શ્રમ લો છો, અને વંચાવવા છાપું કઢાવો છો. તો પછી જો એ સાંભળવાની ક્રિયારૂપી શુભથી આત્મા તમે માનેલા સત્ય તત્ત્વનો જ્ઞાતા બને છે, અને શુદ્ધોપયોગ તરફ પ્રયાણ આદરી શકે છે, તો શુભથી શુદ્ધોપયોગ થઈને મોક્ષ થાય એવું બન્યું કે નહિ? અર્થાત્ શુભ એ મોક્ષનું કારણ ન બન્યું ?કદાચ તમે અહીં કહેશો કે :
પ્ર. :- શુભ એ તો પરંપરાએ કારણ બન્યું ને?
ઉ. :- તો ભલે તેમ; પણ કારણ બન્યું તો ખરું ને ? માટે એની જરૂર ખરી કે નહિ ? ભલે પરંપરાએ પણ દૂધમાંથી ઘી બને છે કે નહિ ? જો બને છે અને પાછું એ પણ જો દેખાય છે કે દૂધ વિના ઘી બનતું નથી, તો પછી દૂધ એ ઘીમાં કારણ ખરું કે નહિ ? જો તમે કહેશો કે :
પ્ર. :- નિશ્ચયથી તો ઘીમાં માખણ કારણ છે, દૂધ કયાં કારણ છે ?
ઉ. :- તો એનો અર્થ શું એ છે કે :(૧) “ધી માટે દૂધ કામનું જ નથી?' તેમ,
(૨) શું એ કહેવું છે કે “તેથી જ ઘીના અર્થીએ હવે દૂધ હાથમાં આવે તો ઢોળી દેવું? કેમકે એ ઘીમાં કારણ નથી.”
(૩) ત્યારે શું તમે એમ કહો છો કે “ધીને માટે દૂધને અવગણી માત્ર માખણની રાહ જોયા કરવી? કેમકે ઘીમાં એ જ કારણ છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org