________________
વસ્તુના નિશ્ચય-વ્યવહાર લેવાય. બીજાના નહિ. એમ કર્યા પછી જુદા જુદા નિશ્ચય-વ્યવહારમતની ભિન્ન ભિન્ન વસ્તુને અંદર અંદર એકબીજા સાથે, અને એ બધાને આપણા પ્રયોજન સાથે કેટલો સંબંધ છે, તે જોવાય. એ હિસાબે નિશ્ચયથી ધર્મ શું, ને વ્યવહારથી ને ધર્મ શું ? નિશ્ચયથી સમ્યક્ત્વ શું, અને વ્યવહારથી સમ્યક્ત્વ શું ? નિશ્ચયથી મોક્ષ શું, વ્યવહારથી મોક્ષ શું ? નિશ્ચયથી કર્મ શું અને વ્યવહારથી કર્મ શું ? નિશ્ચયનયે સંસાર શું અને વ્યવહારનયે સંસાર શું ? એમ આશ્રવ સંવર શું ? નિશ્ચયનયે બંધ-નિર્જરા શું ? ઈત્યાદિમાં નિશ્ચય-વ્યવહારના દૃષ્ટિબિંદુથી તે તે વસ્તુ કોને કહેવી ? અને તે કેવા કેવા સ્વરૂપવાળી હોય? એ યુગલોને પરસ્પરમાં શો મેળ છે ? તેમજ આપણા ઈષ્ટ સાથે કેટલો સંબંધ છે ? એ બધું જોવાનું હોય છે. એમાં નિશ્ચયનયથી આત્મા શી ચીજ, તથા વ્યવહારનયથી આત્મા શી ચીજ ? બંનેને કેટલો મેળ ? અને આપણા ઈષ્ટ પ્રયોજન સાથે એ બેને શી નિસ્બત ? એ વિચારણા અને વસ્તુ જીદી થવાની; અને ધર્મ કે મોક્ષમાર્ગ માટેની વિચારણા-વસ્તુ જુદી એ જ રીતે બીજા પણ પદાર્થો અંગેની વિચારણા અને વસ્તુ જાદી પડવાની. આ રીતે વિચારણા થાય તો એ વિચારણા મોં-માથાવાળી વિચારણા ગણાય. બાકી તો શંભુમેળો. સાચી વિચારણામાં આત્મા અંગેની નિશ્ચયનયની વાત અને ધર્મ અંગેના નિશ્ચયનયની વાતનો સંભેળ ન કરાય, શંભુમેળો ન કરાય નવીન ઢબના નિશ્ચયનયની વિચારણામાં આવો શંભુમેળો મળે છે. એમાં શ્રી સર્વજ્ઞકથિત વાસ્તવિક પદાર્થ હાથમાં આવતા નથી.
મુદ્દો-૨ઃ નવીનઢબનો નિશ્ચય એ એકાંતવાદમાં ઊતરી જવાથી જૈન અનેકાંતની વિરુદ્ધ જાય છે :– કદાચ એ એમ કહે કે, ‘અમે કાંઈ શંભુમેળો નથી કરતા,' જો કે એમ કહેવા માત્રથી કાંઈ સરે એવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org