________________
૫
સમજતાં કાલ્પનિક બાબત સમજીએ તો તો પહેલો જ પ્રશ્ન એ થાય કે એ હિસાબે તો આત્મા અનંતજ્ઞાનાદિમય, ને શુદ્ધ જ છે, (કેમ કે કાલ્પનિક વ્યવહારથી વસ્તુ સ્વરૂપને વાંધો નથી આવતો) તો પછી મોક્ષમાર્ગની આરાધના કરવાનું કામ જ શું છે ? આરાધના તો અશુદ્ધને શુદ્ધ કરવા માટે હોય; પણ વ્યવહારિક મનાતી અશુદ્ધતાની જો વસ્તુસ્થિતિ જ ન હોય, તો તો અશુદ્ધતા અસત્ થઈ, કલ્પિત થઈ; એને શું દૂર કાઢવી'તી ?
બીજું એ પણ છે કે અશુદ્ધપણાની જો વસ્તુસ્થિતિ જ ન હોય તો આત્માઓના ‘મુક્ત' અને ‘સંસારી' એવા બે ભેદ શાના ? ત્યારે જો એમ કહો કે “ભેદ પણ કલ્પિત છે કિન્તુ વસ્તુસ્થિતિ નથી,” તો તો પછી એવા પ્રકારનું નિર્મલ દર્શન થયેલા પુરુષને કશું કરવાનું રહેતું નથી. પછી ઉપદેશ શા? દ્રવ્યદૃષ્ટિ શી ? શુદ્ધ પર્યાયનું લક્ષ રાખવાનું શું ? સંસારને માત્ર કલ્પનામાંથી કાઢી નાખવાનો એટલું જ કર્તવ્ય ૨હે. તે તો વ્યવહારની વસ્તુને ખોટી માનો એટલે સંસાર નીકળી જ ગયો. એમ વ્યવહારના લોપકને બધું ઊડી જાય. માટે એ નિશ્ચયની વાત વાહીયાત છે.
આપણે જરા દૂર નીકળી ગયા. વાત એ હતી કે નવા મતમાં નિશ્ચય-વ્યવહારને મોં-માથું નથી. કેમકે એ નિશ્ચય’ એટલે જાણે કોઈ એક નિયત વસ્તુ સમજે છે. પછી ચાહ્ય ધર્મની વાત હો, કે સાધનાની વાત હો, ચાહ્ય મોક્ષમાર્ગની વાત હો, આત્મ-ઉન્નતિની વાત હો,-બધે જ અદ્ધરથી નિશ્ચય-નિશ્ચય શબ્દની રટણામાં ‘નિશ્ચય કામનો' ‘નિશ્ચય કામનો' એમ બોલ્યા કરે છે.
ત્યારે પૂછોને, કે
પ્ર : ‘નિશ્ચય કામનો' - કહે એમાં ખોટું શું ?
ઉ : એ જે કહે છે એમાં વ્યવહારને સરાસ૨ ધૂતકારી કાઢવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org