________________
૪
છે, જેવી કે, દ્રવ્યદૃષ્ટિ-ભાવદૃષ્ટિ, શબ્દદષ્ટિ-અર્થદષ્ટિ, જ્ઞાનદષ્ટિક્રિયાદષ્ટિ વગેરે વગેરે. પ્રસ્તુતમાં આપણે નિશ્ચયદષ્ટિ અને વ્યવહારદષ્ટિનો પ્રસંગ વિચારવાનો છે.
નિશ્ચયમૂઢ એકાંતવાદી :– પ્રખર ન્યાયાચાર્ય પૂ. ઉપાધ્યાયજી શ્રીમદ્ યશોવિજયજી મહારાજને વ્યવહારમૂઢની ગાળ દેનાર પહેલું પોતાને માટે જોવું ભૂલી જાય છે કે હું નિશ્ચયમૂઢ ખરો કે નહિ ?” જૈનશાસન અનેકાંતવાદી છે, તેથી એ વ્યવહારયુક્ત નિશ્ચયને અને નિશ્ચયયુક્ત વ્યવહારને માને છે, પણ નહિ કે એકાંત વ્યવહારને કે એકાંત નિશ્ચયને. તેથી એકલા નિશ્ચયના પક્ષપાતીઓ જો સાચા અનેકાંતવાદી મૂર્તિપૂજક શ્વેતામ્બરોને માત્ર વ્યવહારમાર્ગના એકાંતવાદી સમજીને એમના પર “વ્યવહારમૂઢ'નો આક્ષેપ કરવા તૈયાર થાય છે, તો તે તેમનો અન્યાય છે. તેમની ભ્રમણા જ છે. કેમ કે જૈન મૂર્તિપૂજક શ્વેતામ્બરો એકાંતવાદી છે જ નહિ. એ કાંઈ એકાંતે વ્યવહારને મુખ્ય કરતા નથી. એ તો નિશ્ચય અને વ્યવહાર બંનેને માને છે. પણ ઊલટું આક્ષેપકો પોતે નિશ્ચયનો એકાંત પકડતા હોવાથી નિશ્ચયમૂઢ સાબિત થાય છે.
ક્યાં ભૂલે છે? :– “વસ્તુના સ્વરૂપ તરફ દૃષ્ટિ રાખનારો નિશ્ચયમત” છે, માટે તે તો મુખ્ય છે; અને વસ્તુના બાહ્ય ઢંગ તરફ જોનારો વ્યવહારમત છે, માટે તે ગૌણ છે, તે ઔપચારિક છે.” આભાસરૂપ સમજે છે, નિરુપયોગી સમજે છે, વસ્તુના સ્વરૂપની સાથે બીલકુલ લેવાદેવા વિનાનો સમજે છે. ખરી રીતે વ્યવહારમતના હિસાબે જે વસ્તુસ્થિતિ બને છે. તે પણ એક નક્કર હકીકત છે. એની ઉપેક્ષા થાય નહિ. દા. ત. નિશ્ચયથી આપણો આત્મા અનંતજ્ઞાનદિગુણમય છે; પણ વ્યવહારથી એ જ આપણો આત્મા કર્મબદ્ધ છે, અજ્ઞાની છે, તે મનુષ્યત્વાદિ પર્યાયવાળો છે. હવે જો આ વ્યવહારમતની વસ્તુ-સ્થિતિને એક નક્કર મોજાદ હકીકત ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org