________________
નિશ્ચય : વ્યવહારદષ્ટિ :- નયજ્ઞાન થવા માટે અપેક્ષાની જરૂર રહે છે. કોઈને કોઈ અપેક્ષા મનમાં રાખીને જ આપણે વસ્તુને અમુક અંશે જોઈએ છીએ-સમજીએ છીએ. દા.ત., એની ચોક્કસ આકૃતિની અપેક્ષાએ અનિત્ય જાણીએ છીએ, કેમ કે આપણને ખબર છે કે એ આકૃતિ સદા ટકવાની નથી. એમ જ કહેવાય કે “આ ઘીનો ઘડો છે.' તો એ કથન નયજ્ઞાનમાંથી જન્મે છે. ત્યાં ખાસ કરીને ઘી ભરવાની અપેક્ષાએ જાણી છીએ કે ઘડો ઘીનો છે, પાણીનો કે તેલનો નહિ. ઘડામાં ઘણા અંશ છે, એમાં ઘડાનું શું સંગ્રહવાનો ઉપયોગ છે.' એ અપેક્ષાઓ વિચારતા દેખાય છે કે એ ઘી ભરવાને કામ લાગે છે, તો એ પણ એક અંશ છે એ અંશે ઘડાને જોતાં “ઘીનો ઘડો !” એવું જ્ઞાન થાય છે. આ વ્યવહાર-દષ્ટિની વાત છે. પણ અહીં કોઈ સામું પૂછે છે શું ઘીમાંથી ઘડો બનાવ્યો છે? અર્થાત્ ઘડો શું નરદમ થીજ્યા ઘીનો બનેલો છે? તો કહેવું પડે કે “ના, એમ તો ઘડો ઘીનો નહિ પણ માટીનો બનેલો છે. આમાં ઘડો ઘીનો પણ માટીનો લીધો તે વસ્તુના સ્વરૂપનો અંશ લીધો. એ અંશને લઈને “ઘડો માટીનો છે એમ જે દેખાય છે, એ નયજ્ઞાન છે. એમાં પણ પ્રશ્ન થાય કે ઘડો માટીનો કહો છો ત્યાં શું ઘડો અને માટી જાદા છે ? તો કહેવાય કે “ના ભાઈ ! ના, ઘડો અને માટી જુદા નથી. ઘડો માટીનો છે, એનો અર્થ એ છે કે ઘડો માટીમય છે. આ કથન ઘડાના વસ્તસ્વરૂપની દષ્ટિએ અર્થાત્ નિશ્ચયની દૃષ્ટિએ છે. પૂર્વે “ઘડો ઘીનો છે” એમ કહ્યું હતું તે વ્યવહારદૃષ્ટિની વાત હતી.
બીજી દષ્ટિએ – આના પરથી એ આવ્યું કે વસ્તુનું જ્ઞાન અંશે કરવાનું જે થાય છે તે વ્યવહારદષ્ટિએ પણ હોઈ શકે, તેમ વસ્તુ સ્વરૂપની દષ્ટિએ પણ હોઈ શકે છે; વસ્તુ સ્વરૂપની દૃષ્ટિ એટલે મૂળ ઉપાદાનની દૃષ્ટિ, અર્થાત્ નિશ્ચયદષ્ટિ. એ રીતે વ્યવહારદષ્ટિ અને નિશ્ચયદષ્ટિ,-એમ બે દષ્ટિ જોઈ. આ સિવાય બીજી પણ દષ્ટિઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org