________________
ર
ખરૂં તો એ જ વિચારવામાં નથી આવતું કે ‘નિશ્ચય એટલે શું ?' એ તો જાણે એમ સમજે છે કે નિશ્ચય એટલે શુદ્ધ આત્મા કે એવી કાંઈ એક ચોક્કસ વસ્તુ. જ્યારે ખરૂં જોતાં ‘નિશ્ચય વિના વ્યવહાર હોય નહિ’ એ વાક્યમાં ‘નિશ્ચય' શબ્દનો અર્થ ‘નિશ્ચયનયની વસ્તુ' કરવાનો છે. અર્થાત્ નિશ્ચયનયની વસ્તુ વિના વ્યવહારનયની વસ્તુ સફલ નથી. અહીં જુઓ કે નિશ્ચય એ કોઈ માત્ર એક જ નિયત વ્યક્તિ નથી; જાદી ાદી અનેક વ્યક્તિ છે. તે એ રીતેઃ-નય એટલે મત. નય એટલે ષ્ટિ. નિશ્ચયનય એટલે નિશ્ચયદૃષ્ટિ. વસ્તુએ વસ્તુએ નિશ્ચયદૃષ્ટિ જાદુી પડે છે. નિશ્ચયથી એક વસ્તુ કરતાં નિશ્ચયથી બીજી વસ્તુ જીદી હોય છે. બીજી રીતે કહીએ તો એક વસ્તુના નિશ્ચય કરતાં બીજી વસ્તુનો નિશ્ચય જાદો. દા.ત. નિશ્ચયનયે આત્મા એ જુદી ચીજ અને નિશ્ચયનયે ધર્મ એ જુદી ચીજ. નિશ્ચયનયનું સમ્યક્ત્વ જુદી ચીજ; અને નિશ્ચયનયનું ચારિત્ર જાદી ચીજ. નિશ્ચયનયે મોક્ષ જુદો; નિશ્ચયનયે મોક્ષમાર્ગ જુદો; ત્યારે નિશ્ચયદૃષ્ટિએ ધર્મ વળી જાદી જ વસ્તુ છે.
પ્રમાણજ્ઞાન અને નયજ્ઞાન :- આને સમજવા માટે પહેલાં નય, દૃષ્ટિ કે મત એ શું છે એ જાણવું જરૂરી છે. જગતમાં કોઈપણ વસ્તુને આપણે જ્ઞાનથી જાણીએ છીએ, એ તો ખરૂં ને ? ત્યાં વસ્તુને જણાવનારૂં જ્ઞાન બે પ્રકારનું હોય છે. એનું કારણ એ છે કે વસ્તુ પોતે કાંતો સમગ્રભાવે જોવાય છે, અગર એના અમુક અંશે જોવાય છે. એ બે રીતે જોવાના હિસાબે જ્ઞાન બે પ્રકારે. એમાં વસ્તુને સમગ્રરૂપે બતાવનાર જ્ઞાન પ્રમાણ કહેવાય છે; અને અંશે બતાવનાર જ્ઞાન નય કહેવાય છે. ચક્ષુથી સમગ્રપણે ઘડો જોયો એ પ્રમાણજ્ઞાન થયું. પણ ઘડો અનિત્ય તરીકે જાણ્યો, તે નયજ્ઞાન થયું, કેમ કે અનિત્યતા એ ઘડાનો એક અંશ છે; અને વસ્તુનું અંશે થતું જ્ઞાન એ નયજ્ઞાન છે. નયજ્ઞાનની જેમ નયનું કથન પણ હોય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org