________________
XXXX
હિતવાણીમાં આ વસ્તુસ્થિતિ છતાં આજના પ્રગતિશીલ અનાત્મવાદી વ્યવહારોના પ્રચારકો ભાષાનો છળ કરી બહુ મીઠી ભાષાનો દેખાવ કરે છે. ભારતની જુગજુની મહાસંસ્કૃતિના પાયા ઉખેડનારી એમની મીઠી ભાષા સાકરમાં લપેટેલા ઝેર જેવી છે. વાણીની મીઠાશથી લોકને હિતૈષીઓએ બોલેલી ક્યાંક તીખી વાણીના ઉગ્રતા બતાવી એના તરફથી ઉભગાવવાનો અને પોતાના તરફ આકર્ષવાનો એમાં ઉદ્દેશ હોય છે. બાકી તો અવસરે એ ય પોતાના પર જોરદાર વાંધો દેખાતા એ “જૂનવાણી” “રુઢિચુસ્ત” વગેરે કઠોર શબ્દો તિરસ્કારપૂર્વક ક્યાં નથી બોલતા? ત્યારે એકલી મીઠી ભાષાનો ઉપયોગ, જીવનને ઘડતી કેળવણી લેવામાં એકલી અનુકૂળતા, કઠિનતાનો અભાવ, કાલાવાલા, વગેરેનું ખરાબ પરિણામ આજે પ્રત્યક્ષ દેખાય છે. મુખ્ય નુકશાન તો એ કે એમાં તૈયાર થયેલાઓ મહાસંસ્કૃતિના વિરોધમાં અથવા વર્તમાન જીવનના રૂપાંતર કરી લેવામાં લાગી જાય છે. એથી ભારતીય સંસ્કૃતિને અને ધર્મને ભયંકર ફટકો લાગે છે. માટે આવી મીઠી વાણીમાં ભોળવાઈ જવા જેવું નથી. કેટલાક વાંચકોને અલ્પ સમજના કારણે હિતભાષીની ક્યાંક વાણીની તિખાશ ધ્યાન પર ચઢે છે, કિંતુ વિશ્વહિતકારી સન્માર્ગને હાનિ પહોંચાડનારાની ભયંકરતા ખ્યાલમાં નથી આવતી !! એ પણ આ યુગની અસર છે.
અમારે આ પ્રસ્તાવનામાં “સોનગઢી મત' કહીને ચલાવવું પડ્યું છે. કેમકે એને ધાર્મિક સંપ્રદાયનો આકાર આપવા- માનવામાં જોખમ છે. આનું કારણ એ છે કે (૧) એનું બાહ્ય રૂપ આધ્યાત્મિક દેખાવા છતાં આંતરિક રૂપ શુદ્ધ ધર્મ વ્યવહાર લોપવા દ્વારા અનાધ્યાત્મિક તત્ત્વોનું પ્રેરક છે; એ ભારતીય ધર્મ અને સંસ્કૃતિનું ઘાતક છે. વળી (૨) એના મુખ્ય પ્રચારકે જૈનશાસનના કોઈ સાધુનું લિંગ (વેશ) ધારણ નથી કર્યું, અને “સ્વામી’ શબ્દથી ખ્યાતિ સાધુ તરીકેની રાખે છે. એમાં પ્રામાણિકતા નથી, વગેરે વગેરે...
પ્રાંતે, અમારી આંતરિક શુભેચ્છા એ ખરી કે કદાચ અજ્ઞાનતા કે ઉતાવળથી સારૂં સમજીને ગમે તે થઈ ગયું હોય પરંતુ તક મળે મતભેદનું તારતમ્ય સમજવાની અને યોગ્ય માર્ગે આવવાની એમનામાં આત્માર્થિતા હોય તો પત્ર વ્યવહારથી યા રૂબરૂ શાંતિભરી વાતચીતથી સહકાર આપવા અમને વાંધો નથી. એકાદ જીવનું પણ જિનેશ્વર દેવનો માર્ગ પામી હિત થતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org