________________
XXXIX
ખેદ એ થાય છે કે એમને એટલો વિચાર નથી આવતો કે શ્રી તીર્થંકર દેવો સ્વયં કૃતકૃત્ય અને વીતરાગ હોવા છતાં જુદી જુદી કક્ષા પ્રમાણે વ્યવહારો શા માટે બતાવે છે. પ્રભુએ જોયું છે કે (૧) જગતનું કલ્યાણ વ્યવહારમાર્ગના લોપથી નથી જ થતું, તેમ (૨) શાસનપ્રવાહ પણ વ્યવહારમાર્ગ વિના ટકી શકતો જ નથી. પછી નિશ્ચયની વાતો ગમી જવાની લાગણીને પરવશ બની વ્યવહાર લોપક નવો પંથ કેમ જ કઢાય ? પૂર્વે મહાચારિત્રવાનો અનેકવિધ વિદ્વતાને ધારણ કરનારા થઈ ગયા. એમાંના કોઈને કોઈ શાસ્ત્રીય વિષય વધુ ચિંતન રુચિને યોગ્ય બનતો હશે, તો બીજાને બીજો છતાં કેમ એમણે જબ્બર સામર્થ્ય છતાં નવો પંથ, નવો ચીલો ન સ્થાપ્યો ? કારણ એજ કે એમાં ફસી અનેકાનેક જીવો સ્યાદ્વાદમય જિનેન્દ્ર માર્ગથી ભ્રષ્ટ થાય છે.
પુસ્તકની ભાષા :– હિત મનોહારિ = દુર્લભં વર્ષે :- હિતકારી હોવા ઉપરાંત મીઠું વચન, યા મીઠું હોવા ઉપરાંત હિતકારી વચન બહુ મુશ્કેલ હોય છે. એનો અર્થ એ કે હિતકારી વચનોમાં બધે જ મીઠાશ જળવાવી શક્ય નથી; તેમ બધા જ મીઠા વચનોમાં હિતકારિતા હોવી સંભવતી નથી. બાપ છોકરાને સારો સંસ્કારી ઘડે છે, તેમાં પુત્ર પર બહુ પ્રેમ હોવા છતાં અને હિતોપદેશમાં મીઠાશ જાળવવા છતાં ક્યારેક જરા તિખાશ પણ આવી જાય છે. શિક્ષકથી વિદ્યાર્થી સારો પણ એમજ ઘડાય છે. ત્યાં કડવા વચન પાછળ દ્વેષ નથી, કિંતુ હિતબુદ્ધિ જ છે. કેટલીક વાર મીઠા શબ્દો જે ચાનક લગાડી સુધારો નથી કરાવતા તે તીખા શબ્દ કરાવે છે. તેથી જ કડવું ય અવસરે કહેવું પડે છે, પણ તે સામાના હિતાર્થે. સગી મા રોગી સંતાનને અવસરે કડવી ય દવા પાય છે જ ને ?
જગતના હિતૈષીઓના આ ધોરણ પર આ પુસ્તિકામાં ક્યાંક સહેજ તીખી ભાષા વપરાયેલી કેટલાકોને દેખાશે, તો એમણે સમજવાનું છે કે આની પાછળ ઉપર કહ્યું તેમ લેખકની અનુગ્રહ બુદ્ધિ જ કામ કરી રહી છે. માનવહિતની મહાઘાતક વસ્તુસ્થિતિની ભયંકરતાને સચોટ ખ્યાલ આપવા તેવી ભાષા વપરાય એ હિતકારીપણાની દૃષ્ટિએ કશું અયોગ્ય જણાતું નથી. સંસ્કૃત ભાષા પણ હિતબુદ્ધિથી આપવાનું હોય ત્યાં ચોથી વિભક્તિ અને બીજે છઠ્ઠી વિભક્તિ એમ ભેદ પાડતા કહે છે, શિષ્યાય થવેટાં વાતિશિષ્યને તમાચ દે છે. રનસ્ય વાળિ વાતિ ધોબીને વસ્ત્ર આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org