SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ XXXVIII નાન – તે મિથ્યાત્વી કહેવાય. એવી એવી પ્રરૂપણાઓ કરી ગુસંસ્થાથી પ્રજાને ઉભગાવી પવિત્ર ગરસંસ્થા અને પવિત્ર આચાર અનુષ્ઠાનાદિ વ્યવહારોના એમના ઉપદેશથી દૂર કરે છે. આમાં મોટી અફસોસી તો એ છે કે આ સોનગઢી મતના સંસ્થાપક, પ્રચારક, કે અનુયાયી, કોઈની સાથે સ્વમતની સત્યાસત્યતા સંબંધમાં વિચારણા કરવા તૈયાર નથી ! પાછા કહે છે આજ સુધીમાં નહિ સાંભળેલ, નહિ જાણેલ મહાતત્ત્વ જાણવા મળ્યું છે પણ ખરી રીતે આ આખો મત જિનાજ્ઞાસંમત નથી. કેમકે જિનાજ્ઞા અનેકાંતવાદ ફરમાવે છે, ત્યારે આ નિશ્ચયનયના એકાંતને પકડે છે. યદ્યપિ એ નિશ્ચયનયનું નિરૂપણ કરે છે તે ઘણે અંશે જૈન શાસ્ત્રના નિશ્ચય સાથે સંગત આવે છે. પણ તે નિરૂપણ (૧) અન્ય પ્રબળ નયવ્યવહારને કચડી એકાન્તરૂપે થાય છે, (૨) અપૂર્ણ રીતે થાય છે, (૩) અપૂર્ણ વ્યવસ્થાથી, અને (૪) ઉલટ સુલટપણાથી થાય છે; માટે દુર્નય છે. દુર્નય એ અ-જૈન મત. જૈનશાસ્ત્રો તો કહે છે, જો એક નય બીજા નયને હાનિ પહોંચાડે તો તે દુર્નય થાય છે, માટે જ નિશ્ચયનય ભૂતાર્થ હોવા છતાં એમનું એનું નિરૂપણ અભૂતાર્થ ઠરે છે. એ તીર્થકર ભગવંતોએ સ્થાપેલા શુદ્ધ વ્યવહારોને સમર્થવાને બદલે નિંદે છે, તેથી અંતે પોતે અને પોતાના અનુયાયીઓ મિથ્યાત્વના આત્મા નથી...' વગેરે ષસ્થાનક માનનાર આજના અનાત્મવાદી વ્યવહારોમાં વધુને વધુ ફસાતા જાય છે. એ સમયસારને પકડીને તેના મૂળસમાં ભગવાન શ્રી આચારાંગાદિ સૂત્રોને, તથા કુંદકુંદાચાર્યને આગળ કરીને શ્રી સુધર્માસ્વામી આદિ ગણધર દેવોને, અને શ્રી સીમંધર પ્રભુ સાથે સીધો સંબંધ કલ્પીને શ્રી ઋષભદેવાદિ ચોવીસ તીર્થંકર પ્રભુને ઉડાવે છે. આમ છતાં આ મતને જિનાજ્ઞા મુજબનો માની જે આમાં આકર્ષાય, તે ખરી રીતે જિનાજ્ઞા અને જિનોક્ત મહામાર્ગના ઘોર વિરાધક બને છે. હજી અપેક્ષાએ ઇતર આત્મવાદી ધર્મો જૈનધર્મની નજીક ગણાય પણ સોનગઢી મત નહિ. તેમ એ શ્વેતાંબર જૈન મતથી તો દૂરાતિદૂર છે જ, પણ દિગંબર મતથી પણ અત્યંત દૂર છે. હા, જો શુદ્ધ વ્યવહારોને તથા એની જુદી જુદી કક્ષાઓ અને અંગ પ્રત્યેગોને નિંદ્યા-નિષેધ્યા વગર સાથે સાથે નિશ્ચયદષ્ટિ રાખવા અને નિશ્ચય તરફ આગળ વધવા એમણે ઉપદેશ કર્યો હોત તો આવકાર પાત્ર ગણાત, એમ કહી શકીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy