________________
XXXVII
‘તીર્થ’નો અર્થ ‘સંઘ’ અને ‘પ્રવચન’ પણ થાય છે. માટે જ પ્રવચનનો ઉડ્ડાહ ન કરવાનું ફરમાન છે. તીર્થંકર પ્રભુએ સ્થાપેલી ધર્મસંસ્થાનું ચતુર્વિધ સંઘનું, અને જૈનાગમનું જરાય હણાય એવું ન કરવા સૂચવે છે. કેમકે એથી સ્વપરને ભયંકર નુકશાન છે. સંસ્થાના શુદ્ધ ટકાવ ઉપ૨ જીવો શુદ્ધ ધર્મને પામી-આરાધી શકે છે. સોનગઢી મત આના મૂળમાં અગ્નિ મૂકીને ભયંકર પાપ કરી રહ્યો છે.
ધર્મશાસનના ટકાવનો આધાર મુખ્યપણે તેના ફરમાવેલા શુદ્ધ વ્યવહારોના પાલન ઉપર છે. ‘વવહારનયુએક્ તિત્યુદ્ધે વ્યવહારનો ઉચ્છેદ થવાથી કોઈ પણ સંસ્થા ન ટકે તો ધર્મતીર્થ ક્યાંથી ટકે ?વિશ્વની સંસ્કારી પ્રજાઓ તથા સામાજિકાદિ સંસ્થાઓ પણ આ શુદ્ધ વ્યવહારને વળગી રહીને ટકી છે. સંયમ, પરોપકાર વગેરે કોના ઘરના છે ?... તેથી જ એ શુદ્ધ વ્યવહારોને અને એના મૂળભૂત ધર્મશાસનને ટકાવવા માટે આચાર્યો વગેરે ધર્મગુરુઓના માથે મોટી જવાબદારી છે. પ્રાણના ભોગે પણ તેનું રક્ષણ જોઈએ; સંચાલન-સંવર્ધન જોઈએ. એ રીતે ટકતું ધર્મશાસન એ મોટી પાર્લામેન્ટો અને યુનેસ્કો કરતાં વિશિષ્ટ અને સમર્થ હિતકારી સંસ્થા છે.
તીર્થંકર ભગવંતે જે આ ધર્મસંસ્થા સ્થાપી છે તેના વિવિધ નયો પર અન્યાન્ય ધર્મ સંસ્થાઓ પ્રચલિત થઈ છે. અપુનર્બંધક અવસ્થાની આત્મોન્નતિના માર્ગભૂત શમ-દમ-તિતિક્ષાનું એ સમર્થન કરે છે. એના આગળ પગથીએ સમ્યકત્વ-વિરતિ.... યાવત્ યથાખ્યાત ચારિત્ર અને શૈલેશીનો મોક્ષમાર્ગ જૈનધર્મ બતાવે છે. આમ જૈનોની સંખ્યા હાલ નાની છતાં જૈન શાસન કેન્દ્રમાં છે. તેમ આ જૈન શાસન એ તીર્થંકરની પ્રતિનિધિ સંસ્થા છે. જૈનશાસનની પ્રતિનિધિ ગુરુકુલ સંસ્થા છે. એના પ્રતિનિધિ મુખ્ય આચાર્ય છે. એમના પ્રતિનિધિ મુનિઓ અને મહાજન છે. પ્રતિનિધિ પર તે તે જવાબદારી છે. આમાં વર્તમાનમાં મુખ્ય જૈન ગુરુકુળ સંસ્થા ત્યાગમય, તપોમય, જ્ઞાન-ધ્યાનમય, નિઃસ્પૃહ, અને વિશ્વ-વાત્સલ્યમયતાના હિસાબે સર્વ ગુરુ સંસ્થાઓનું કેન્દ્ર છે. ધર્મના અનન્ય પાયાભૂત ગુરુકુળ સંસ્થા સામે આજે અનેકવિધ આક્રમણો ખડા છે. એમાં સોનગઢમતી કહે છે કે ‘ગુરુ તો પરદ્રવ્ય હોઈ કાંઈ કરી શકતા નથી’ તેમજ ‘ચારિત્રના આચારોમાં ધર્મ માને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org