________________
XXXV
(૪) ચોથા ગુણઠાણાની નીચેનાની શુદ્ધ વ્યવહારોના ગ્રહણઆસેવનનો ઉપદેશ અપાય, એ આગળ વધતાં એને પાછળના વ્યવહારની ત્યાજયતા અને આગળનાની ઉપાદેયતા સમજાવાય, એ યોગ્ય છે;વાસ્તવિક ઉન્નતિ સાધક છે.
(૫) નયવિવેક સુધી લઈ જનારી ક્રિયામાં અસદ્ આશય હોય એ દૂષણ છે. તેથી ક્રિયા પર દોષનો આરોપ થાય એ ખોટું છે. વસ્તુતઃ તીર્થંકરદેવે બતાવેલી ક્રિયા દૂષિત નથી. મોક્ષસાધકને એ ક્રિયા જ તારે છે. અવ્યવહાર રાશિમાંથી બહાર આવ્યા પછી અનંતી વાર અસઆશયવાળી વિષ ગરલ ક્રિયાઓ અને સંમૂર્ણિમ ક્રિયાઓ કરી પછી જીવ સબંધક, અપુનર્બધક બની ક્રમશઃ તદ્ધતુઅમૃત અનુષ્ઠાન કરવા પામે છે. એ સૂચવે છે કે પૂર્વની ક્રિયાઓ જીવને સંસ્કાર આપે છે. માત્ર ઉત્તમ ક્રિયાની દૃષ્ટિએ તે નિષ્ફળ છે, એવું કહેવાય ત્યાં તેમજ જીવને પ્રોત્સાહિત કરી મોક્ષમાર્ગની ઉચ્ચ ભૂમિકાએ ચઢાવવા વિષ-ગરલ ક્રિયાની નિંદા કરવામાં આવે, ત્યાં તે ક્રિયા છોડવવા નહિ પણ વિષ-ગરલ જેવો અસત્ આશય છોડાવવા આમાં અનુવાદ-અપવાદના અંશ ન સમજે, અને સીધું જ “પુણ્યક્રિયાઓ નકામી વગેરે જૈન ધર્મના નામે ઉપદેશ દેવા માંડે, એ હળદરના ગાંઠીએ ગાંધી બનવાની મૂર્ખતા છે.
જૈનશાસનની અખંડિતતા જાળવી રાખવાનો ખ્યાલ પહેલો રાખવો જોઈએ. મતભેદ પડતાં જુદો ચોકો જમાવવામાં જૈનશાસનની મહાન આશાતના થાય છે. એ ભયંકર પાપ છે. બાળજીવોમાં બુદ્ધિભેદ થાય છે, અને એ પરંપરા તોડે છે. નિહ્નવો સાથે ઝગડવામાં આ મુદ્દો હતો. મતભેદ અને જુદા ચોકા ઊભા કરવામાં આજની અનાધ્યાત્મિક વિચારણા, વાતાવરણ અને રીતરસમોની અસરનું પરિણામ છે. સ્વાતંત્ર્ય અને સ્વતંત્રમત, આ બેએ સત્યાનાશ વાળ્યું છે. ખરી રીતે એને બાજુએ મૂકી જૈનશાસનમાં બુદ્ધિભેદથી પડેલા પક્ષોને નયસાપેક્ષપણે ઘટાવી એક તંત્રમાં સૌએ આવી જવા જેવું છે. એથી આગળ વધીને, આધુનિક વિજ્ઞાન યુગના પાયા પર રચાયેલા અનાત્મવાદી વ્યવહારોની સામે આત્મા-મોક્ષ-સદ્ગતિના સાધક ધાર્મિક-સામાજિક-રાજકારણી અને ધંધાદારી વ્યવહારોને સુરક્ષિત રાખવા તમામ આત્મવાદી ધર્મવાળાએ એકત્ર મળીને સખ્ત પ્રયત્ન અને સાવધાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org