________________
XXXIII
છે;-એવું આત્માના પરિણામને જ તત્ત્વ માનનાર માને છે. આવી આવી નયદષ્ટિની અનેક વાતો શ્વેતાંબર શાસ્ત્રોમાં ભરી પડી છે. ત્યાં એમ કહેવું કે “સોનગઢી સંતે શ્વેતાંબર શાસ્ત્રોમાં નહોતું એ ખરૂં તત્ત્વ બતાવ્યું, – એ સરાસર અજ્ઞાન અને ભ્રાન્ત દશા છે.
સોનગઢી મતના કેટલાક સ્થાપિત પ્રતિપાદનો અંગે જુઓ –
(૧) વ્યવહારનયે ઉપાદાન-નિમિત્ત બંને કારણ હોય છે, અને અપેક્ષાએ ગૌણ મુખ્ય હોય છે. અશુદ્ધ નિશ્ચયનયે ઉપાદાન મુખ્ય કારણ છે. શુદ્ધ નિશ્ચયનયે કાર્ય કારણભાવ જ ન હોવાથી કોઈ જ કારણ નથી. આ વસ્તુસ્થિતિમાં નિમિત્ત માત્ર હાજર હોય છે એટલું જ, – એમ કહી “કારણ” શબ્દ છૂપાવવો એ અજ્ઞાન દશા છે. કેમકે એકલી “નિમિત્ત' જેવી કોઈ વસ્તુ જ નથી; કાર્યમાં હેતુભૂત બને ત્યારે તો નિમિત્ત કહેવાય છે. એટલે નિમિત્ત કારણ બોલવું જોઈએ. પણ “કારણ' કહેવામાં એને ઉત્પાદક માનવું પડે છે; એ એમને પાલવતું નથી.
(૨) “નિશ્ચય નય ભૂતાર્થ છે, – એ કથન “ભૂતાર્થ એટલે પ્રમાણભૂત' એ અર્થમાં ઠીક છે; અથવા “નિશ્ચય નયની ભૂમિકામાં સદ્ભૂતદર્શ એવા અર્થમાં બરાબર છે.
(૩) “એક દ્રવ્ય બીજા દ્રવ્યને કશું કરતું નથી' એ કથન શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી બરાબર છે. કેમકે એ નય પર્યાય સામે જોતો જ નથી. તેમ વ્યવહાર નયે પણ દ્રવ્ય અન્ય દ્રવ્યના સ્વરૂપને બદલી શકતું નથી. એ દૃષ્ટિએ પણ ઉક્ત કથન બરાબર છે. છતાં દ્રવ્યો પર્યાય રૂપે જે ઉત્પન્ન થાય છે, તેમાં બીજા દ્રવ્યો નિમિત્ત હોવાનું સ્પષ્ટ દેખાય છે તેમજ કાર્ય ઉત્પન્ન કરવા માટે એ નિમિત્તો શોધવાનો અને એનો ઉપયોગ કરવાનો વ્યવહાર પણ જગત પ્રસિદ્ધ છે, અને એ સચોટપણે નિમિત્તકારણતાને સાબિત કરે છે. વળી નિમિત્ત બનનાર દ્રવ્યમાં નિમિત્ત બનવાની યોગ્યતા અર્થાત્ સ્વભાવ હોય છે; તો જ તે જ દ્રવ્ય નિમિત્ત બને છે, બીજું દ્રવ્ય નહિ એમજ નિમિત્ત લેનાર દ્રવ્યમાં તેવા પ્રકારની યોગ્યતા હોય છે. આટલું જ નહિ, પણ કાર્ય ભિન્ન ભિન્ન દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ સામગ્રીમાં બને છે, એથી એની નિમિત્તકારણતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org