SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ XXXI વ્યવહાર ખોટો, નિશ્ચય સાચો’, ‘અશુભ-શુભ-શુદ્ધ’, ‘શુભથી આત્માનું ભલું થાય નહિ’, વગેરે વગેરે એકાંત કથનો ચાલ્યા ! આમાં મર્મને, અપેક્ષાને, અને આ સિવાયના જૈન તત્ત્વો અને નયોના મહાસાગરને ન જાણવાને લીધે બિચારા કૂપમંડુકની જેમ એટલા જ એકાંતવાદના ચોકઠામાં સપડાઈ બેઠા ! ખરૂં જોતાં જેમ, જૈન શાસ્ત્રોમાં એક પ્રતિપાદન એ આવે છે કે ‘સમ્યકત્વ વિનાની કરણી બધી નકામી.' એટલે એથી સમ્યકત્વની ભૂમિકાવાળાને મિથ્યાત્વની ભૂમિકા અનુપાદેય બની ગઈ, પણ મંદ મિથ્યાત્વીને સમ્યકત્વ સન્મુખ લઈ જનારી કરણી અનુપાદેય નહિ. તેવી રીતે સમયસાર ગ્રંથ સાતમા ગુણઠાણાના સમ્યગ્દર્શનની દૃષ્ટિમાં નીચેના ગુણસ્થાનકના વ્યવહાર માર્ગને અનુપાદેય ગણે તે સ્વાભાવિક છે. બસ, આમાંથી સોનગઢમતીને ભ્રમણા ઊભી થઈ, અને છડેચોક એમણે નીચેના ગુણઠાણાવાળાને પણ વ્યવહાર માર્ગનો નિષેધ કરવા માંડ્યો; ને નિશ્ચયની જ ઉપાદેયતા બતાવવા માંડી ! સાથે સાચે જ શ્રુતકેવલીનું સ્મરણ કરાવનાર ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ જેવા પર વ્યવહારમૂઢનો આક્ષેપ કરવા લાગ્યા ! અજ્ઞાનતામાં કેફમાં આવું બનવાની નવાઈ નથી. નહિતર આજના એ કહેવાતા શ્રુતકેવલી મતપ્રવર્તકમાં જે મહાપુરુષના રચેલા સેંકડો શાસ્ત્રોને પોતે રચવાની શક્તિની વાત તો દૂર પણ એની થોડી પંક્તિ લગાવવાની પણ શક્તિ નથી, તે મહાપુરુષ ઉપર મૂઢનો આક્ષેપ કરતાં એમની જીભ કેમ ન થથરે ? પૂ. ઉપાધ્યાયજી મહારાજના શાસ્ત્રો જોતાં તો લાગે છે કે એમની નજર સામે શ્વેતાંબર-દિગંબરના તમામ શાસ્ત્રોના પદાર્થો તરવરતા હતા. એટલું જ નહિ પણ એ ભારતીય અન્ય દર્શનોના અઢળક શાસ્ત્રોના તલસ્પર્શી બોધ ધરાવતા હતા. તેથી જ એ દર્શનોની સામે જૈન-દર્શનની વિશિષ્ટતા એમણે ઠામઠામ પૂરવાર કરી આપી છે. તેમજ નય, નિક્ષેપ, પ્રમાણ, પંચજ્ઞાન, કર્મપ્રકૃતિ, અધ્યાત્મ, તર્ક, સિદ્ધાન્ત-રહસ્યો, વગેરે ઉપર અનેકાનેક શાસ્ત્રો રચ્યા છે. એ નિશ્ચય-વ્યવહાર બંનેને યોગ્ય ન્યાય આપે છે. અરે ! એમની નજર નીચે નીકળેલો અને ટિપ્પણથી અલંકારયેલો ‘ધર્મસંગ્રહ’ ગ્રંથ પણ નિશ્ચય-વ્યવહારનો કેવો ભેદ બતાવે છે, નિશ્ચયનું કેવું યથાર્થ સ્વરૂપ કહે છે તે જુઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy