SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૭ વૈયાવચ્ચ, સેવા-શુશ્રુષા; (૪) સંસાર પ્રત્યે સ્વાભાવિક એવો ઉદ્વેગ; (૫) અનેક પ્રકારના ઇન્દ્રિય-મનને કબજે કરનારા નિયમો, અભિગ્રહો, પ્રતિજ્ઞાઓ; (૬) ધર્મશાસ્ત્રના લેખન, પૂજન, વાંચન, વાંચનાદિ સહાય વગેરે. આમાંય મોટે ભાગે શું છે ? બાહ્ય શરીરની ક્રિયા, પરદ્રવ્યોનું આલંબન, નિમિત્તનું સેવન વગેરે; કે જે નવીન મતને આત્માની ઉન્નતિમાં જરાય ઉપયોગી નથી. કેવું આશ્ચર્ય ! જૈન તો શું પણ આર્યકોટિમાં ન આવી શકે એવો આ નવીન મત !! ભવાભિનંદિતાત્યાગ - એટલું જ નહિ, પણ એની સાથે જુઓ કે આત્મા સંજ્ઞા, કષાયો અને પાપાચરણના કારમા વ્યસનમાંથી ઊંચે આવવા શું શું કરે છે. આત્માને મોક્ષદષ્ટિ જાગે છે ત્યાં ભવાભિનન્દિપણાનો અંત આવે છે. ભવાભિનન્દિપણું એટલે સંસાર ઉપર બહુમાન સાથે સંસારની રસિકતા. એની પાછળ જીવ હૃદયની ક્ષુદ્રતા, લોભમાં લંપટતા, મહાદીનતા,ઇર્ષ્યા-૫૨સુખદ્વેષ, પરગુણદ્વેષ, દુન્યવી સુખસગવડની તીવ્ર અભિલાષા પાછળ ભારે ભય, શઠતા, મૂઢતા વગેરે દોષોનું જોર હોય છે. પણ હવે મોક્ષરુચિમાં એના પ્રતિપક્ષી ગુણો કેળવાઇને એ દોષોનો નાશ કરવામાં આવે છે. એ પ્રતિપક્ષના ગુણ આ-ઔદાર્ય, ઉદાત્તતા, લોભમાં ઉદ્વેગ, સ્વાત્માનું મૂલ્યાંકન, પ્રમોદભાવ, મૈત્રીભાવ, સરળતા, વિવેક.. વગેરે એ પાછા એમ જ નથી ટકતા. એને યોગ્ય પ્રવૃત્તિ આદરવી પડે છે; અરે ! કહો કે આદરાઇ જાય છે. અનાદિના મનના મેલા વલણને ફેરવવું જ પડે છે, પ્રારંભમાં જૂના ઊંધા સંસ્કારની અસરને લીધે ન માનતા એવા મનને બળાત્કારે ગુણ તરફ વાળવું પડે છે. એવી મથામણો કેઇવાર થાય ત્યારે મનની સહજ પ્રવૃત્તિ ગુણમાં થાય છે. અહીં પ્રશ્ન થશે કે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy