________________
૨૫૮
-
-
-
-
પ્ર૦ - ભવાભિનંદિપણાના દોષો ટાળી, મોક્ષદષ્ટિને યોગ્ય ગુણો કેળવવા-ટકાવવાની શી શી પ્રવૃત્તિ છે ?
ઉ0 - એવી દોષશોષક અને ગુણપોષક પ્રવૃત્તિના બે પ્રકાર પડી શકે. (૧) માગનુસારી જીવન અને (૨) યોગદષ્ટિના વિકાસક યમ-નિયમાદિ યોગ-અંગો.
- ૩૫ ગુણોવાળું માર્ગાનુસારી જીવન - અનાદિની ખંધી સંજ્ઞાઓ, લઢબાજ કષાયો અને પાપરસિકતાનો સામનો કરવા જીવને કેટકેટલું કરવું પડે છે ! જીવન મોક્ષમાર્ગને અનુસારી એટલે કે મોક્ષના ઉપાય તરફ સહેલાઈથી લઈ આવે એવી શુભ વૃત્તિ-પ્રવૃત્તિવાળું જીવવું જોઇએ છે; તેય દીર્ઘકાળ સુધી જીવવું જરૂરી છે. માર્ગાનુસારી જીવનમાં પાંત્રીસ ગુણોનું જીવન આવે છે. એમાં ૧ન્યાયસંપન્ન વિભવ, ૨. આયોચિત વ્યય, ૩. ઉચિત ઘર, ૪. ઉચિત વિવાહ સંબંધ, ૫. અનુભટ વેશ, ૬. અજીર્ષે ભોજન ત્યાગ, ૭. યોગ્ય કાલે પ્રકૃતિને અવિરુદ્ધ ભોજન, ૮. માતાપિતાની પૂજા, ૯. પોષ્યનું પોષણ, ૧૦. દીનઅતિથિ-સાધુની સેવાશુશ્રુષા, ૧૧. ચારિત્રશીલ અને જ્ઞાનવૃદ્ધની ભક્તિ વગેરે પ્રવૃત્તિ આદરવાની હોય છે. આ આદરવામાં જો બેદરકારી રાખે, જે ઉપેક્ષા સેવે, તો મોલરુચિ એવી સુંવાળી ચીજ નથી કે એમજ ટકી રહે. જીવે શુભ પ્રવૃત્તિના આધારે જીવવાનું છે. એકવાર હૈયાના આશય ચોખા કરવા સાથે શુભ પ્રવૃત્તિમાં ખૂબ લાગ્યા રહેવું જોઈએ છે. તો જ અશુભવૃત્તિઓ ઘટે. પછી શુભ વૃત્તિમાંથી શુદ્ધવૃત્તિમાં જઈ શકાય. ઉપરોક્ત અગીયાર ગુણ ઉપરાંત ૧૨. આંતર છ શત્રુ (કામ ક્રોધાદિ) ઉપર વિજયની પ્રવૃત્તિ, ૧૩. ઇન્દ્રિયોના નિગ્રહની પ્રવૃત્તિ, ૧૪. સત્સંગ, ૧૫. ધર્મશ્રવણ, ૧૬, બુદ્ધિના આઠ ગુણ, ૧૭-૨૨. મિથ્યા અભિનિવેશ-નિંદા-નિંઘવર્તાવ-ધર્મ-અર્થ-કામને પરસ્પર બાધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org