________________
XXIX
ક
છે; તેથી આશ્રવ-સંવરાદિ પર્યાય તરફ જોતો જ નથી. એવું જ સંવરમાં ભાવના-પરિષહ, ચારિત્ર વગેરે વ્યવહારથી સંવર છે. આત્માના જ્ઞાનાદિક ગુણો એ અશુદ્ધ નિશ્ચયનયથી સંવર છે. અને શુદ્ધ નિશ્ચયનયે તો આત્મા જ સંવર છે. આમાં અશુદ્ધ નિશ્ચયનયવાળો વ્યવહારને વ્યવહારમૂઢ કહે તે બરાબર છે; અને શુદ્ધ નિશ્ચયવાળો અશુદ્ધ નિશ્ચયનયવાળાને ભેદમાં મુંઝાયેલો કહે તે બરાબર છે. કેમકે એ શુદ્ધ નિશ્ચય તો સમ્યજ્ઞાન કહો, કે સમ્યફ ચારિત્ર કહો, બધું શુદ્ધ ચેતના જ છે, એમ કહે છે.
શ્વેતાંબર શાસ્ત્રોમાં બીજે પણ આ વિવેક ઠામ ઠામ જોવા મળે છે. કહ્યું છે “વ્યવહારવિમૂઢતુ હેતુસ્તાનેવ મતે . વોશિયારતત્વીતતતત્ત્વ ગૂઢ જ પતિ ” વ્યવહાર-મૂઢ જીવ બાહ્ય ક્રિયામાં રક્ત હોવાથી અંદરનું ગૂઢ રહસ્ય જોતો નથી. માત્ર સંવરના કારણોને જ સંવર માની બેસે છે. "अशुद्धनयतश्चैव संवराश्रवसंकथा। संसारिणां च सिद्धानां, न शुद्धनयतो fમા ” સંવર, આશ્રવની વાત પણ અશુદ્ધનયથી જ છે. શુદ્ધ નથી તો સંસારી આત્મા અને મુક્ત આત્મા વચ્ચે કાંઈ ભેદ નથી. જૈન શાસન વિવિધ નયની દષ્ટિથી તત્ત્વોને વિવેચે છે. તેથી તેના જુદા જુદા ગ્રન્થ અને પ્રકરણો આજે પણ ઉપલબ્ધ છે, આ હિસાબો સમયસાર ગ્રન્થ વ્યવહારની ઉપરની અશુદ્ધ-શુદ્ધ નિશ્ચયવાળી કક્ષાએ પ્રરૂપે એમાં નવાઈ નથી. તેમ નિશ્ચય નયના વિવેચનમાં એનો વ્યવહાર સાથેનો વિરોધ સંપૂર્ણતયા પ્રરૂપાય એ પણ સહજ છે. બાકી દિગંબર-શ્વેતાંબર શાસ્ત્રોમાં બીજી રીતે વિચારણા ભરી પડી છે. દા.ત. વ્યવહાર નથી સમ્યગ્દર્શન ચોથા ગુણસ્થાનકે આભ્યાન્તર રીતે દર્શન મોહના ક્ષયોપશમાદિથી હોય; અને ૧ લે ગુણઠાણે સમ્યકત્વના બાહ્ય આચાર વ્યવહારોથી હોય. અશુદ્ધ નિશ્ચયનયથી સમ્યકત્વ ૭મે ગુણઠાણે અપ્રમત્ત મુનિને હોય, ત્યાં શુદ્ધનયથી તો આત્મા જ દર્શન-જ્ઞાન-ચરિત્ર છે. એમ વ્યવહારનયથી સમ્મારિત્ર પણે ગુણઠાણેથી ૧૦મા સુધી હોય છે, અશુદ્ધ નિશ્ચયનયથી ચારિત્ર ૧૧મેથી યથાખ્યાત ચારિત્ર નામનું હોય છે. શુદ્ધ નિશ્ચયથી ચારિત્ર આત્મા જ છે. જે. શાસ્ત્રોમાં નિશ્ચય ક્યાં ઓછો કહ્યો છે?
ત્યારે, શ્વેતાંબર શાસ્ત્રોની જેમ દિગંબરમતમાં બીજા શાસ્ત્રો વ્યવહાર નથી અને સમયસાર અશુદ્ધ-શુદ્ધ નિશ્ચયનયથી મોક્ષમાર્ગનું વર્ણન કરે છે. પણ તેથી કાંઈ સમયસારના કર્તાને વ્યવહારનય અને એના પ્રરૂપક શાસ્ત્રો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org