________________
XXVIII
પ્રાપ્ય હોય છે, તે પોતાને ક્યાંથી પ્રાપ્ય હોય ? છતાં, નિશ્ચયની ભૂમિકા પોતાના જીવનમાં ઉતારવાની ભ્રમણામાં પડી ઉલટું પરાપૂર્વથી કુળમાં ચાલ્યા આવતા શુદ્ધ વ્યવહારોને તિલાંજલિ આપે છે. તથા જીવનમાં વ્યવહારો તો જોઈએ જ છે, તેથી નવા અશુદ્ધ પ્રગતિશીલ વ્યવહારોને એ અપનાવે છે. તેથી જાણે-અજાણે ઘરમાં અનાત્મવાદી વ્યવહારો અને વિચારો સ્થાન પામે છે, આનું પરિણામ એ આવે છે, કે-સર્વ ધર્મ સમન્વય, વિશ્વનો એક ધર્મ, વગેરેના નામ હેઠલ જ્યારે રૂઢિ વગરની આધુનિક વિજ્ઞાનના પાયા પરની કોઈ નવી યોજના બહાર પડશે ત્યારે આ જન સમાજ એમાં ભળી જશે, અને નવા સોનગઢ મતને પણ લાત મારશે ! મિથ્યાત્વધ્વંસી શુદ્ધ વ્યવહારોનો લોપ કરાવીને બીજું પરિણામ લાવી શકાય નહિ.
જોવાનું તો એ છે કે હજી ઢગલાબંધ અશુદ્ધ વ્યવહારોમાં જે જીવો પલોટાયેલા રહે છે અને ધર્મ માર્ગે આકર્ષી અંતરમાંથી મિથ્યાત્વ મૂકાવવા ભરપુર શુદ્ધ વ્યવહારોનો ઉપદેશ અને અમલ આવશ્યક અને હિતકારી છે. ઉપદેશક પણ શુદ્ધ વ્યવહારોનું પાલન નહિ દેખાડે તો પેલાને ધર્મની શ્રદ્ધા નહિ કરાવી શકે. શુદ્ધ નિશ્ચય નયનો માર્ગ, અશુદ્ધ નિશ્ચય નયનો માર્ગ અને પરાકાષ્ઠાનો શુદ્ધ વ્યવહાર માર્ગ આ ત્રણને જાણવા-સમજવા એક વાત છે, અને અમલમાં ઉતારવા એ બીજી વાત છે. પ્લાન બનાવવો. ગણતરી મૂકવી, એ જુદી વસ્તુ છે, અને ખરેખર ઈમારત રચી ઊભી કરવી એ જુદી ચીજ છે. એની એની ભૂમિકાએ એ માર્ગ અમલમાં ઉતારી શકાય છે.
કુંદકુંદાચાર્યે પણ જે સમયસાર-પ્રવચનસાર ગ્રન્થ રચ્યા તે પણ વ્યવહાર માર્ગનો લોપ કરવા નહિ. તે નિર્વિકલ્પદશા ન આવે ત્યાં સુધી વ્યવહાર માર્ગની આવશ્યકતા બતાવે જ છે. એમણે તો એમની પૂર્વે શ્રી ગણધર ભગવાનથી રચાયેલા શ્રી આચારાંગ આદિ સૂત્રોમાં આત્મા, સમ્યક્ત, મુનિપણું, વગેરે અંગે કહેવાયેલ નિશ્ચયનયના પદાર્થનો સાર લઈને સમય સારાદિ બતાવ્યા છે. દા.ત. શ્વેતામ્બર શાસ્ત્રો ૧. વ્યવહારનયથી ક્રિયા, ઈન્દ્રિયો વગેરેને આશ્રવ કહે છે; પણ તે દ્રવ્ય આશ્રવો; ૨. અશુદ્ધ નિશ્ચયનયથી રાગદ્વેષના પરિણામને આશ્રવ કહે છે; ૩. શુદ્ધનિશ્ચય દષ્ટિથી આત્માને અનાશ્રવ કહે છે. કેમકે શુદ્ધ નિશ્ચયનય માત્ર દ્રવ્યાર્થિક દૃષ્ટિવાળો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org