SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ યોગ અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમત્વ અને વૃત્તિ સંક્ષય, એ પાંચ ક્રમે છે. એમાં આરાધ્ય સમ્યગ્દર્શન-શાન ચારિત્ર છે. એ પ્રાપ્ત થવાની પૂર્વ ભૂમિકામાં જે સાધના કરાય છે, તેને “યોગની પૂર્વસેવા' કહેવાય છે. આ પૂર્વસેવા, આગળ કહ્યું તેમ, બીજાઓએ કામ-ભોગાદિ સુખની પ્રાપ્તિ અર્થે બતાવેલી પૂર્વસેવા કે જે અચરમાવર્ત કાળમાંય મળી શકે છે, એના કરતાં જુદી સમજવાની છે. તેથી આમાં કોઈ પણ જાતની પૌદ્ગલિક સુખ, માનપાનાદિ મેળવવાનો ઉદ્દેશ નથી રાખવાનો; તેમ સંમૂર્ણિમાની જેમ પણ આ ગબડાવવાની નથી. પરંતુ નિરાશં ભાવે શુદ્ધ હૃદયથી કરવાની છે. તેથી જ આ ચરમાવર્ત કાળમાં જ મળે છે. આના ચાર પ્રકાર શાસ્ત્રકારોએ કહ્યા છે – ૧. ગુરુ-દેવાદિ પૂજન, ૨. સદાચાર, ૩. તપ અને ૪. મુક્તિ પ્રત્યે દ્વેષનો અભાવ. ૧. ગુરુ-દેવાદિપૂજન:- ગુરુપૂજનમાં “ગુરુ” શબ્દથી માતા, પિતા, કલાચાર્ય, એમના સંબંધી વૃદ્ધો અને ધર્મોપદેશક ગુરુઓ લેવાય છે. એમને ત્રિકાળ નમસ્કાર કરવા, એમની વિનય-મર્યાદા સાચવવી, અસ્થાને એમનું નામ ન લેવું, એમની નિંદા સાંભળવી પણ નહિ, સારા સારા વસ્ત્રાદિથી એમની ભક્તિ કરવી, ધર્મકાર્યમાં એમને જોડવા, ધર્મદેશક ગુરુને ધર્મસામગ્રી દેવી, એ ગુરુઓને અનિષ્ટ હોય તે ત્યજવું, ઇષ્ટ આદરવું, એમના આસનાદિ આપણે ન વાપરવા... વગેરે ગુરુપૂજનમાં આવે છે, ત્યારે, દેવપૂજનમાં જ્યાં સુધી કોઇમાં ખાસ વિશેષ દેવપણું નિશ્ચિત ન થાય ત્યાં સુધી આગ્રહ રહિત “ચારિસંજીવની' ન્યાયથી સર્વદેવોને પૂજવામાં આવે છે. તે પુષ્પો, ધાન્યબળી, વસ્ત્રો વગેરેથી અને સુંદર સ્તોત્રો તથા શ્રદ્ધા અને પવિત્ર મનથી પૂજાય છે. મન પવિત્ર બનાવવા ઇન્દ્રિયો અને ક્રોધાદિ કષાયો ઉપર અંકુશ મૂકવો પડે છે. જ્યાં સર્વજ્ઞ-વીતરાગ-અત્ દેવની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy