________________
૨૪૮
કે એ હોય તો બીજી ધર્મસાધનાઓ આત્માની પ્રગતિકારક બને છે; આત્માને મોક્ષ યોગ્ય અવસ્થાની નજીક નજીક લઇ જાય છે. નહિતર તો જેમ પૂર્વે તેમ ચ૨માવર્તમાંય મોક્ષરુચિ-મોક્ષદષ્ટિ વિનાની સાંસારિક આશંસાવાળી ધર્મક્રિયાઓ તો જીવની અનાદિની વિષયાદિ સંજ્ઞાઓ અને કષાયરૂપી દુર્ગુણોને પોષે છે; તે જીવને ક્યાંથી ઊંચે લાવી શકે ? માટે જ મોક્ષદષ્ટિ અતિ જરૂરી છે. અલબત્ત મોક્ષદૃષ્ટિ જગાવવાના હેતુથી કરેલી યોગપૂર્વસેવા સફલ બને છે.
મોક્ષષ્ટિ જગાડનારી - ટકાવનારી સાધના - ચરમાવર્ત કાળમાં આવેલા એવા ઘણા જીવો છે કે જેને મોક્ષદિષ્ટ જાગી હોતી નથી. પરંતુ એ કોઇ આર્યદર્શન (ધર્મપંથ)ના સંત-સાધુ કે થોડા પણ જાણકારના સંસર્ગમાં આવે છે, એનો મોક્ષ-ઉપદેશ સાંભળે છે ત્યારે એ સાંભળીને એની આંખ ઉંચી થઇ જાય છે. પોતે આજ સુધી ભૂલ્યો એવું લાગે છે. એમના કહેવા મુજબ યોગની પૂર્વસેવા સાધે છે. આ ઉપદેશનું આકર્ષણ થાય છે. એ વસ્તુ સહેજે પણ બને છે અને સકારણ પણ બને છે. જીવ પોતે કોઇ દુઃખમાં આવી પડ્યો, અને ત્યાં હિતોપદેશ સાંભળવા મળી જાય તો એને એની અસર થઇ જાય છે. ક્યાંક વૈરાગ્યજનક પુસ્તક વાંચનથી કે અનિત્યભાવના અશરણભાવના વગેરે ભાવના વિચારવાથી અથવા પોતાના કે બીજાના જીવનમાં કોઇ આકસ્મિક સાંસારિક વિકરાળ ઘટના જોઇને પણ સસાર ઉપર વૈરાગ્ય અને મોક્ષ ઉપર રુચિ જાગે છે. આમ, મોક્ષરુચિ જગાવવા માટે સંસારની વિચિત્રતાઓ પર ઉંડા ચિંતન, અનિત્યાદિભાવના, હિતોપદેશશ્રવણ, વૈરાગ્યગ્રંથોનું વાંચન તથા યોગની પૂર્વસેવા વગેરે સાધન છે. મોક્ષરુચિ જાગ્યા પછી પણ એને ટકાવી રાખવા માટેય આગળ કહેવાશે તે સાધનો સેવવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org