________________
૨૪૭
જ નહિ પણ ઉપરથી એ આત્માને નુકશાન કરનારો છે, એની અનંત જ્ઞાનસુખાદિ સમૃદ્ધિ અને સ્વતંત્રતાને દબાવનારો છે. તે પણ, આત્મા એની પાછળ મરી ફીટે છતાં એ તો અંતે આત્માને દુર્ગતિના દુઃખની ઘંટીમાં ઘાલી પીલનારો-પીસનારો હોઈ, ઉપકાર ઉપર અપકાર કરનારો છે ! અરે એટલું જ નહિ કિંતુ આત્માને વિશ્વાસમાં રાખીને અનેકાનેક પ્રસંગમાં એનો એકાએક દ્રોહ કરનારો છે ! સંસારના એવા કેટલાય સંયોગો બને છે કે જે જીવને પૂર્ણ વિશ્વાસ આપીને વિશ્વાસનો અકાળે કારમો ઘાત કરે છે ! (દા.ત. પુત્ર પચીસ વરસની ઉંમરનો બરાબર તૈયાર થયો, બાપને હવે એની પૂર્ણ આશા છે કે એ સેવા કરશે; ત્યાં તો સંસારની વિચિત્રતા એ પુત્રને મોત આપીને ઉઠાવી લે છે !!)
મોક્ષરૂચિની ભાવના – આવશ્યકતા - આવું આવું સંસારની અસારતા નિર્ગુણતા, અપકારકતા, વિશ્વાસઘાતકતાનું જીવને સચોટ ભાન થઈ જવાથી સંસાર ઉપર તિરસ્કાર છૂટે છે; હાડોહાડ અરુચિ પ્રગટે છે. જીવ પોતે તેમાં મોહ્યો છે, એમાં પોતાની મૂર્ખશેખરતા ભાસે છે! એમાં ફસાયો છે તે બદલ પોતાની પામરતા લાગે છે ! હવે એને એમ થાય છે કે “પોતે ક્યારે એમાંથી છૂટે ! ક્યારે સંસારની બેડીઓ તૂટી જ્યાં જન્મ-મરણ નહિ, દેહ નહિ, દુઃખ નહિ, પુગલ નહિ, પરાધીનતા નહિ, એવાં મોક્ષનાં સામ્રાજય મળે !” એમ મોક્ષનાં મીઠાં સ્વપ્ન આવે છે, મોક્ષ ઉપર હાર્દિક રુચિ જાગે છે. અલબત્ત આ માટે યોગની પૂર્વસેવા ખૂબજ ઉપયોગી બને છે. આ મોક્ષદષ્ટિ અને મોક્ષરુચિ જો જાગી તો એમાં સાચી નિશ્ચય-સાધનાનો અંશ છે. ત્યારે નવીન મતીઓ જે કરે છે, એમાં સાધનાનું નામનિશાન નથી. માત્ર ટાયેલાં અને અસંભવિત કલ્પનાઓ છે. અસ્તુ. બાકી આ મોક્ષદષ્ટિ-મોક્ષરૂચિની પહેલી આવશ્યકતા છે. કેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org