________________
૨૩૯
પ્રતિજ્ઞા) ! ચારે ગતિમાં એવું ! મન વિનાની સંમૂચ્છિમ અવસ્થામાં, બેભાન સ્થિતિમાં કે છતા મને પણ શૂન્ય મગજ કે અન્ય લક્ષની સ્થિતિમાંય ઓધસંજ્ઞાની અસર હેઠળ કેવળ જડ તરફ પ્રવર્તો; એનું જ પીંજણ ચાલુ રાખ્યું. એ દશેય સંજ્ઞા પાછળ મારામારી, કલહ, હિંસા, જૂઠ-ડફાણ, અનીતિ, અન્યાય, ચોરી, જુગાર, અબ્રહ્મ-મૈથુનની કામચેષ્ટાઓ, ધંધાધાપા, વેપાર રોજગાર, આરંભ-સમારંભ વગેરે અનેકાનેક પાપની પ્રવૃત્તિઓ હિસાબ વિનાની આચરી. અરે ! પરિગ્રહ-વિષય-આહારાદિની સંજ્ઞાને વશ પડી દાન, તપસ્યા વગેરે ધર્મક્રિયાઓ પણ કરી ! યાવત્ ચારિત્ર પણ લીધું, સાધુ બન્યો ! કહો, કેવો બહાદુર ! કિંતુ એ દાન, એ તપ, એ ચારિત્રાદિ શા માટે ? કાં સ્વર્ગનાં વૈષયિક સુખ લેવા, કાં અહીંજ લક્ષ્મી લેવા, માનપાન મેળવવા, સારાં સારાં ભોજન વગેરેની સગવડ પ્રાપ્ત કરવા માટે !
Jain Education International
અનંત અનંત કાળથી ચાલતી ૩ લત - (૧) અનંત અનંત કાળથી જીવને બસ એકસરખી લગની કેવી ? ‘ખાઉં, ભેગું કરું, રંગરાગ અને મોજ કરું, આરામ કર્યું !' એવી. (૨) ત્યારે અનંત અનંત કાળથી જીવની લાગણીઓ એકસરખી કેવી ? ગુસ્સાભરી, અહંકારમય, માયાવાળી અને લોભલાલચની ! સ્વાર્થ સાધવા દુબળા પ્રત્યે રોફભરી લાગણી, સબળા પ્રત્યે દીનતાભરી લાગણી ! (૩) ત્યારે એકધારી મન-વચન-કાયાની પ્રવૃત્તિ કેવી ? એકધાર્યા વિચારો શાના ચાલે ? મનોરથો શાના? હોંશ શાની ? કહો, આરંભ-સમારંભના, હિંસાના, અસત્યના, ઉઠાવગીરીના, વિષયભોગના,અનેક પાપયોજનાઓના. તો અનંત અનંતકાળથી વાણીમાં એકસરખું શું ઊતરે ? ત્યાગ, તપસ્યા કે વ્રત-પચ્ચક્ખાણ ? ના રે ના; એજ આરંભ-સમારંભ, અસત્ય, અનીતિ, વિષયક્રીડાઓ અને દુન્યવી ધંધાધાપા લક્ષ્મી
,
For Private & Personal Use Only
www.jainelibrary.org