________________
(કાનજીમત)નૂતન પંથ એ જૈન મત નથી,
પણ જૈનેતર મત છે. શાથી?
નૂતન પંથી મત જે સિદ્ધાંતો માને છે, જે પ્રતિપાદનો કરે છે, તે અને કાંતવાદી વાસ્તવિક જૈન સિદ્ધાંતો અને જિનોક્તતત્ત્વો તથા પદાર્થોનો અપલાપ કરે છે, વિરોધ કરે છે; તેથી નૂતન પંથ એ ભલે પોતે જૈન મત હોવાનો દાવો રાખે, પણ વસ્તુસ્થિતિએ એ દાવો દંભરૂપ છે. એ મત આધુનિક ઉપજાવી કાઢેલો સ્વતંત્ર મત છે. એ જૈન મત નથી, જૈનેતર મત છે, અજૈન મત છે. તે આ રીતે -
શ્રી જિનશાસને નિશ્ચયસાધના, નિશ્ચય મોક્ષમાર્ગ, નિશ્ચય ધર્મ, નિશ્ચય આત્મા, નિશ્ચય સમ્યકત્વ, નિશ્ચય ચારિત્ર, નિશ્ચય કારણતા વગેરે જે માન્યા છે, તેની નૂતન પંથીઓને ગંધ સરખી નથી; અને બાંધેભારે નિશ્ચય' “નિશ્ચય કૂટ્યા કરે છે. વળી નિશ્ચયનો એકાંત પકડે છે. શ્રી શ્વેતાંબર શાસ્ત્રોમાં – શ્રી ભગવતીજી, શ્રી આચારાંગ, શ્રી સન્મતિ તર્ક, શ્રી વિશેષાવશ્યક, શ્રી અનેકાંતમત વ્યવસ્થા, શ્રી નયોપદેશ વગેરે મહાશાસ્ત્રોમાં - નિશ્ચય સાધનાનું, નિશ્ચય તત્ત્વનું અને નિશ્ચય દૃષ્ટિનું શ્રી જિનકથિત યથાર્થ પ્રતિપાદન કરેલું છે. સાથે જ સ્યાદ્વાદ નીતિથી વ્યવહારદષ્ટિ-વ્યવહારનયને પણ યથાર્થપણે બતાવવા સાથે મોક્ષસાધનામાં વ્યવહારમાર્ગની અતિ ઉપયોગીતા બતાવેલી છે, એ નિશ્ચય-વ્યવહારના નિરૂપણો વાસ્તવિક જૈન મત છે. નૂતન પંથને એ માન્ય નથી, તેથી એ જૈનેતર મત છે; જૈન મત નથી.
(૧) જિનશાસને મોક્ષ સાધનામાં પહેલા ગુણસ્થાનકેથી માંડી શુભ વિકલ્પો વડે ક્રમશઃ આગળ વધતાં દશમાં ગુણસ્થાનક સુધીની સાધના અને અગીયાર બાર-તેર-ચૌદમે ગુણસ્થાનકોએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org