________________
૨૨૦
નિશ્ચય ધર્મ તો ચૌદમાના અંતે પહોચતા આવે છે. ત્યારે તે પુણ્ય-પાપનો અને ધર્મપ્રવૃત્તિ-અધર્મ પ્રવૃત્તિ બંનેનો અંત લાવી ભવસાગરને પાર મોક્ષ પમાડે છે. પણ એ સ્થિતિએ પહોંચવા માટે પોતપોતાના ગુણસ્થાનકની કક્ષામાં જે જે વ્યવહાર સાધના છે તેને પણ તમે ધર્મ જ જાણો. કારણ કે કાર્ય અને કાર્યમાં પરિણમનાર કારણ, બંનેય એકરૂપ છે. અથવા કાર્યનું અસાધારણ કારણ પણ વ્યવહારથી કાર્ય જ છે. જેમ કે ખરી રીતે આયુષ્ય એ જીવન છે, પરંતુ હવાપાણી એ જીવન કહેવાય છે.
આવી રીતે શ્વેતાંબર શાસ્ત્રોમાં ઠામઠામ નિશ્ચય અને વ્યવહાર બંનેને અગત્ય આપી છે. દ્રવ્યક્રિયા સાથે ભાવક્રિયા ૫૨ પૂર્ણ ભાર મૂક્યો છે. એ ભાવક્રિયાના સંપાદનમાં નિશ્ચય દૃષ્ટિ રાખવાની હોય છે. કેટલાકો બિચારા એવી અજ્ઞાનતામાં ઘસડાય છે કે ‘શ્વેતાંબર મતમાં તો એકલી ક્રિયાની મજૂરી કર્યે જવાનું કહ્યું છે અને ક્યાંય નવતત્ત્વ, ષડ્ દ્રવ્ય, નય, નિક્ષેપ વગેરે વસ્તુ સમજી વિવેક કરી નિશ્ચયદૃષ્ટિ કેળવવાનું કહ્યું નથી.' પરંતુ આવી ભ્રમણામાં પડતાં પહેલાં એ વિચારવું જોઇએ કે નિશ્ચયદૃષ્ટિ એટલે શું ? શું માત્ર પોપટપાઠની જેમ નવત્તત્વો વગેરેના નામ ગણી જાય, ભેદ ગણી જાય, અને ‘દ્રવ્યદૃષ્ટિ', ‘સ્વતંત્ર પર્યાય’, ‘નિર્વિકલ્પ અવસ્થા’, ‘વીતરાગી દશા' વગેરે શબ્દો રટ્યા કરે એથી કાંઇ નિશ્ચયદૃષ્ટિ પ્રાપ્ત થઇ ન ગણાય. નિશ્ચયદૃષ્ટિ માટે તો અશુભ વ્યવહારને ત્યજી શુભ વ્યવહારને જોરમાં આદરતા આદરતા સાથે સંસારસુખની અરુચિ કેળવી સ્વાત્માને કર્મબંધનથી મુક્ત કરીને શુદ્ધ સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરવાનું સચોટ ધ્યેય રખાવું જોઇએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org