________________
૨૧૭
નિકટદશા છાંડી જડ ઊંચી દષ્ટ ૨ે તાકી; ન કરે કિરિયા જનકું ભાખે, નહિ ભવથિતિ પાકી.’
અર્થાત્, જડ માણસ, અજ્ઞાન માણસ નજીકની શક્ય અવસ્થા છોડીને ઠેઠ ઊંચે અશક્ય તરફ દૃષ્ટિ તાકે છે, નાખે છે. દા.ત. ધારો કે પચાસમે પગથીએ દિવાનખાનું છે ત્યાં જવું છે. હવે કોઇ મૂર્ખ જીવ જો પહેલેથી જ માત્ર સીધા પચાસમા પગથીએ પગ મૂકવાની વાત રાખે, પરંતુ જ્યાં જમીન ઉપર ઊભો છે તેની નજીકમાં રહેલા પહેલે બીજે પગથીએ ચઢવાની વાતેય ન રાખે, તો પછી પરિણામ સ્પષ્ટ છે કે ક્રમસર પહેલે પગથીએથી ચઢવા નહિ માંડવાથી એ કદી પચાસમે પગથીએ પહોંચવાનો નથી. એવું ગુણસ્થાનકમાં ક્રમસર ન ચઢવાથી ઊંચે જવાય નહિ. ત્યારે આત્મસ્પર્શી ગુણસ્થાનકની વસ્તુસ્થિતિ કાંઇ એવી નથી કે આપણે એવો પુરુષાર્થ ન કરીએ અને કોઇ ઇશ્વર કે ભાગ્ય આપણને સીધા વિમાનની જેમ તેરમે વીતરાગ-સર્વજ્ઞતાના ગુણઠાણે પહોંચાડી દે. અજ્ઞાની માણસ નજીકમાં રહેલી જે દાનાદિ ક્રિયાઓ, પ્રભુભક્તિ, સામાયિક, ત્યાગ વગેરે ક્રિયાઓ અને એથી નીપજતી થોડી થોડી પણ જે આત્મ-પરિણતિની સુધારાની દશા, તેને અવગણે છે, તેને આદરતો નથી, અને પહેલેથી જ સીધી તેરમા ગુણઠાણાની કેવળજ્ઞાન-યુક્ત વીતરાગદશા ઉપર દૃષ્ટિ નાખે છે; એના અભ્યાસનો ચાળો કરે છે. એને ભાન નથી કે વીતરાગદશા તો સમૂલ રાગદ્વેષ હણ્યા પછી આવે અને રાગદ્વેષનો સમૂલ નાશ પણ પહેલાં અપ્રશસ્ત રાગદ્વેષને રોકવાથી થઇ શકે; તેમજ અપ્રશસ્ત રાગ અને દ્વેષ એની પોષક ક્રિયાઓ બંધ કર્યાથી રોકાય; પણ એમને એમ વાતો કર્યાથી નહિ. ત્યારે એવી ક્રિયા બંધ કરી મનમેય પાછું અપ્રશસ્તમાં ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org