________________
૨૧૬
એના પર ગમે તેટલા ઘા લાગે પણ એ નિમિત્તે જીવને કશું સંવેદન થતું નથી. માટે શરીર સાથે એકરૂપ બનેલા આત્માના જ્ઞાનને શરીરક્રિયા સાથે સંબંધ છે, એ માનવું જ જોઇશે. તેથી તો જીવતા માણસનું શરીર ગળે કોળીયો ઉતારે છે, અને મડદું નથી ઉતારતું એ સ્પષ્ટ દેખાય છે. કેમ વારુ એમ ? કહો કે, જીવતાનો આત્મા ત્યાં શરીર સાથે તદાત્મક રહેલો છતો તેવું જ્ઞાન કરે છે તો જ એ આત્મા સાથે જાણે અભેદભાવે રહેલું શરીર તેવી ક્રિયા કરી શકે છે. માટે આત્માનું આંતરિક જ્ઞાન અને જડશરીરની બાહ્ય ક્રિયા એ બેનો સંબંધ માનવો જ જોઇશે. અલબત્ વીતરાગ પરમાત્માની શરીરક્રિયા સાથે એમના આત્મામાં રાગદ્વેષની પરિણતિ નથી, પરંતુ પ્રત્યક્ષ જ્ઞાન અને શાતા-અશાતાના સંવેદન જરૂર છે જ. એટલે સાર એ નીકળ્યો કે કેવળ ‘શુદ્ધ નયનું જ્ઞાન કરો, શુદ્ધ આત્મદ્રવ્યનું જ્ઞાન કરો' એમ જ્ઞાનમાર્ગનો ઢોંગ કર્યે નહિ ચાલે. એની સાથે અશુદ્ધ આત્મપ્રયોજય અર્થાત્ રાગી-દ્વેષી આત્માથી નીપજતી જે ખાનપાન રંગરાગાદિની તથા સાવદ્ય વ્યાપારાદિની શરીરક્રિયા, તેને પણ બંધ કરવી જોઇશે. નહિતર એ એમ જ ચાલુ રહેવાથી માનવું જ જોઇશે કે આત્મામાં જ્ઞાન પણ તેવું જ છે. શરીરની વીતરાગ ક્રિયાનો તમે ચાળો નહિ કરી શકો. એમ નહિ કહી શકો કે અમારી શરીરક્રિયા વીતરાગતા સાથેની છે. જ્યારે સરાગતા સાથેની છે, તો સરાગદશા ટાળવા તેવી ખાનપાન, મોહમય દુનિયાદારી, આરંભ-પરિગ્રહ વગેરે ક્રિયાઓ છોડવી જોઇશે; અર્થાત્ દાન-શીલ-તપની, વ્રત-નિયમની, ત્યાગનિવૃત્તિની ક્રિયા આદરવી જ જોઇશે.
Jain Education International
-
(૧૨) જ્ઞાન અને ક્રિયાના ગાઢ સંબંધ અંગે એના એક પદમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજ, જુઓ કે કેવું સુંદર લખે છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org