________________
પ્ર૦ ૩ - ઠીક. તો પણ સંમૂર્ચ્છિમ ક્રિયા કરનારને તો મલિન ઇરાદો-મેલો આશય નથી, તેથી મેલા આશયની ક્રિયા એ નહિ ગણાય; અને ક્રિયા તો એ છે જ. પરંતુ ત્યાં જ્ઞાન ક્યાં છે ?
૨૧૫
ઉ૦ - જેવી રીતે એ મેલા ઇરાદાવાળી ક્રિયા નથી તેવી જ રીતે એ શુભ ઇરાદાવાળી, શુભ ઉપયોગવાળી પણ ક્રિયા ક્યાં છે ? એ તો ઓઘ ક્રિયા છે, ઉપયોગશૂન્ય ક્રિયા છે. તેથી શુભાશયવાળી જો ક્રિયા નહિ તો એને અનુરૂપ (સદેશ) જ્ઞાન પણ શાનું હોય ? શાનું જોઇએ ? ત્યારે જેવી ક્રિયા છે તેવું જ્ઞાન તો છે જ.
પ્ર
આ તો બધું બરાબર. પરંતુ ખરો પ્રશ્ન તો એ છે કે જ્ઞાન અને ક્રિયા બંનેય આત્માની અંતરના માનીએ તો શો વાંધો ? જ્ઞાન આત્માની અંદરનું અને ક્રિયા જડ શરીરની શા માટે લેવી ? ઉલટું આત્માનું જ્ઞાન અને જડકાયાની ક્રિયા - એ બેનો મેળ મળે એવો નથી. આત્માની આંતરિક ક્રિયા સાથે જ જ્ઞાનને મેળ હોય. તો પછી જડની ક્રિયા હોવી જ જોઇએ એવો નિયમ માનવાની શી જરૂર ?
-
ઉ૦ તમારો નિયમ સિદ્ધ ભગવાનના આત્માની દૃષ્ટિએ બરાબર છે; કેમ કે એ અશરીરી છે. પણ આપણે જે શરીરધારી છીએ ત્યાં શરીર આત્માને માત્ર ચોંટેલું નથી; પરંતુ આત્માના પ્રદેશે પ્રદેશ શરીરના પ્રદેશે પ્રદેશની સાથે ખીર-નીર પેરે અથવા લોહ-અગ્નિવત્ ઓતપ્રોત થઇ ગયેલ છે. તેથી જ વીતરાગ સર્વજ્ઞ બનેલા આત્માને પણ શરીર પર ઘા લાગતાં આત્મામાં અશાતાનો અનુભવ થાય છે. જો બાહ્ય જડની ક્રિયાને આંતરિક આત્માના જ્ઞાન સાથે કાંઇ મેળ જ ન હોત તો શરીર પરના પ્રહારથી આત્માને અંદર શાતાનું સંવેદન મટી અશાતાનું સંવેદન થવાનું બને જ કેમ ? અને એ શરીર છૂટી ગયા પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org