SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૩ (૯) વળી કહ્યું છે કે ‘મણિશોધક શતખારના રે, જિમ પુટસકલ પ્રમાણ.' અશુદ્ધ રત્નને શુદ્ધ કરવા માટે ક્ષારના સો પુટ આપ્યા, ત્યાં પહેલા-બીજા પુટે તો ખાસ કાંઇ શુદ્ધિ નહોતી થઇ; સર્વથા શુદ્ધિ તો ૧૦૦મા પુટે આવી. પણ તેથી કાંઇ પૂર્વના પુટ નકામા નથી ગણાતા. પૂર્વનો એક પણ પુટ અનુપયોગી નથી. એમ જ વ્યવહારના અનેક આચરણથી શુદ્ધ નિશ્ચયે પહોંચાય છે. (૧૦) તેથી કહ્યું કે - - ‘નિશ્ચય ફલ કેવલ લગે રે, નવિ ત્યજીએ વ્યવહાર; ચક્રી ભોગ પામ્યા વિના રે, જિમ નિજ ભોજન સાર રે, ગુણવસીયા.’ Jain Education International નિશ્ચયરૂપી ફળ જે કેવળજ્ઞાને આવે છે, ત્યાં સુધી વ્યવહા૨માર્ગ છોડવો નહિ. જેમ, કોઇને ચક્રવર્તીના ઉચ્ચ ભોજનાદિભોગ ભોગવવા છે, પણ તે ન મળે ત્યાં સુધી જો પોતાના ચાલુ સામાન્ય ભોજન કરવાનું મૂકી દે તો વહેલો જમારે પહોંચી જાય ! અને ચક્રવર્તીના ભોગ અદ્ધર રહી જાય! એવી આ એકાંત નિશ્ચયવાદીઓની દુર્દશા છે ! એ બિચારા શ્રેણિક જેવાના દાખલા લે છે. પણ નવિ તે જાણે રે કિરિયા ખપ વિના, સમકિત ગુણ પણ તાસ.' શ્રેણિક જેવાનેય પ્રભુ સમાગમ, જિનવાણી શ્રવણ, પ્રભુના આગમન સમાચારે વધામણીદાન, પ્રભુભક્તિ, સાધુસેવા વગેરે અનેક ક્રિયાથી સમક્તિગુણ હતો; ક્રિયા વિના સમ્યકત્વ નહોતું પ્રગટ્યું કે નહોતું વિકસ્યું. (૧૧) સાચો જૈન ક્રિયા અને જ્ઞાન બંનેનો મેળ સાધનારો હોય એના ઉપ૨ પૂ. ઉપા૦ મહારાજ ફરમાવે છે કે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy