SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ તેથી જ વ્યવહારનય નાનો અને ગૌણ પણ ખરોને ? તો પછી મોટાને જ પકડવો સારો કે નહિ ? ઉ0 - બંનેય નય સરખા છે, કોઈ મોટો કે કોઈ નાનો નથી. કેમ કે નિશ્ચય એ કાર્ય છે અને વ્યવહાર એનું કારણ છે. બેમાંથી કોને મુખ્ય એટલે ઉપયોગી ને કોને ગૌણ એટલે નિરુપયોગી કહીએ ? કાર્ય એ કારણ વિના થઈ શકવાનું જ નથી, એ દષ્ટિએ કારણ મુખ્ય છે, ઉપયોગી છે. ત્યારે કારણથી કાર્ય નીપજાવીએ તો કામનું, નહિતર એકલા કારણને રાખવારમાડવાથી શું ? અંતે હાથમાં કાર્ય રહેવાનું. એ દષ્ટિએ કાર્ય મુખ્ય છે, ઉપયોગી છે. દા.ત. અગ્નિ અને રસોઇ, ધંધો અને કમાણી, એ કારણ-કાર્યો છે; બેઉ મોટા છે. નવા પંથીઓ જૈનશાસનમાં આ રહસ્ય સમજતા નથી અને એકલા નિશ્ચયને મુખ્ય કરવામાં પડ્યા છે. તેથી તે નિશ્ચયમૂઢ બની મિથ્યાત્વમાં રમે છે; પણ નિશ્ચયને કદી પામી શકતા નથી. જેમ, ભોજન છોડી દઈ માત્ર તૃપ્તિની રટણા કરનારો તૃપ્તિ પામી શકતો નથી. (૮) ખરી રીતે નિશ્ચયના લક્ષથી હોંશથી વ્યવહાર સાધતા સાધતા પૂર્ણતા આવે છે; નહિ કે વ્યવહારને છોડી દઈને અથવા વ્યવહારમાં રસ ન લઈને. તે બતાવે છે - પાઠ-ગીત-નૃત્યની કળા રે, જિમ હોય પ્રથમ અશુદ્ધ રે, મનવસિયા પણ અભ્યાસે એ ખરી રે.” (હોવત જાત વિશુદ્ધ.) બાળકને વિદ્યાભ્યાસ કરવામાં કે મોટાને પણ સંગીત શીખવામાં કે નૃત્યમાં હોશિયાર થવામાં પહેલાં તો અશુદ્ધ તો અશુદ્ધ પણ ક્રિયા કરવી પડે છે. પરંતુ એનો અભ્યાસ (Practice) કરતાં કરતાં એ શિક્ષણ પૂર્ણ બને છે; ને તે તે વિદ્યા-કળામાં પારંગત થવાય છે. એવી રીતે નિશ્ચયની દિશામાં વ્યવહાર ક્રિયાના ખૂબ અભ્યાસથી નિશ્ચય પમાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy