________________
----
-
-
-
-
-
-
-
-
--
= ૨૧૧
તો બીજાને બીજાથી. એવી રીતે અનેક પ્રકારની મોક્ષસાધક ક્રિયાઓ છે; એમાં કોઈને કોઈથી ભવરોગ ટળે, તો બીજાને બીજીથી. માત્ર વસ્તુ એટલી કે તેની સાધના જ્ઞાનરૂપી વૈદના કહ્યા મુજબ થવી જોઇએ અને અંતિમ સાધ્યના લક્ષવાળી જોઇએ.
(૭) એજ વસ્તુ નિશ્ચય-વ્યવહારગર્ભિત શ્રી સીમંધર સ્વામીના સ્તવનમાં કહે છે -
શિબિકાવાહક પુરુષતણી પરે કહ્યા રે, નિશ્ચયનય વ્યવહાર; મિલિયા મિલિયા રે ઉપકારી, નવિ જૂજવા રે... “શુદ્ધ અશુદ્ધપણું સરખું છે બેઉને રે, નિજ નિજ વિષે શુદ્ધ... પર વિષે અશુદ્ધતા... નિશ્ચયનય પરિણામપણાએ છે વડો રે, તેવો નહિ વ્યવહાર; ભાખે ભાખે રે કોઈક ઇમ તે નવિ ઘટે રે; જે કારણ, નિશ્ચયનય કારજ અછે રે, કારણ છે વ્યવહાર...'
શું કહ્યું? પાલખી ઉપાડનાર બે માણસની જેમ નિશ્ચય અને વ્યવહાર બેઉ નય ભેગા મળીને ઉપયોગી છે; પણ છૂટા છૂટા નહિ. કેમ કે “એકાકી નય સઘળા મિથ્યામતિ રે, મિલિયા સમકિત રૂપ' એમ સંમતિતર્ક શાસ્ત્ર પણ કહે છે, ત્યારે અહીં કોઈ પ્રશ્ન કરે કે –
પ્ર0 - તેમ છતાં બંનેમાં નિશ્ચયનય એ શુદ્ધનય ખરા ને?
ઉ૦ - શ્રી ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે બંને નય શુદ્ધ છે અને બંનેય નય અશુદ્ધ પણ છે. એટલે કે શુદ્ધ નિશ્ચય, શુદ્ધ વ્યવહાર, અશુદ્ધ નિશ્ચય, અશુદ્ધ વ્યવહાર – એમ ચાર ભેદ પડે છે. દરેકને પોતાની વિષે શુદ્ધતા છે, ત્યારે પરને વિષે અશુદ્ધતા છે. એથી નિશ્ચય-વ્યવહાર બંનેની ઉપયોગિતા છે.
પ્ર. - છતાં, નિશ્ચયનય મોટો અને મુખ્ય ખરોને ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org