SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ -- ---- - - -- કેટલાકો માત્ર એનું આલંબન કરવા જાય છે; તે ખરી રીતે બાહ્ય-ક્રિયાના આળસુ હોય છે અને નિશ્ચયના ઓઠા હેઠળ વ્યવહારમાર્ગને લોપી પોતાના ચરણ-કરણ (ચારિત્રના મૂળઉત્તર ગુણો)નો નાશ કરે છે. (૬) ખરી રીતે નિશ્ચયની સિદ્ધિ કરવા માટે અનેક પ્રકારના વ્યવહારમાર્ગ સમર્થ છે. એનાથી વાસ્તવિક નિશ્ચયની સાવધાની વિકસે છે. તે બતાવતાં પૂ. ઉપા૦ મહારાજ કહે છે કે - સ્થવિરકલ્પ-જિનકલ્પની કિરિયા છે બહુભેદ, કિરિયા જે બહુવિધ કહી, તેહજ કર્મપ્રતિકાર; રોગ ઘણા ઔષધ ઘણા, કોઈને કોઈથી ઉપકાર.” સાધુ બે પ્રકારે (૧) વિકલ્પી એટલે કે ગચ્છવાસી સાધુની મર્યાદા પાળનાર; અને (૨) જિનકલ્પી એટલે જિનેશ્વરદેવના ચારિત્રની મર્યાદાવાળું ચારિત્ર વહનાર. જિનકલ્પી માત્ર દિવસના ત્રીજા પહોરમાં આહાર-નિહાર-વિહાર કરે છે, તે પણ વિશિષ્ટ અભિગ્રહ (નિયમ) સાથે; બાકી ઊભા કાઉસ્સગ્ગ ધ્યાને રહે છે, એમાં એમને એટલો બધો જાગૃત આત્મોપયોગ સાથે શ્રુતનો ઉપયોગ હોય છે કે એના પરથી જ કેટલો સમય વીત્યો તે જાણી શકે છે. ઘોર ઉપસર્ગમાં પણ એ અડગ રહે છે. પૂર્વે એમણે તપ-સત્ત્વ-પૈર્ય વગેરે પાંચ ભાવના દ્વારા આત્માને ખૂબ કેળવ્યો છે. એટલે અહીં નિશ્ચયની સાધનામાં સાવધાન છે. પરંતુ આનો અર્થ એ નથી કે સ્થવિર કલ્પીની સાધનાની કિંમત નથી. એ પણ કર્મ ટાળવાનો મહાન ઉપાય છે. એમાં પણ નિશ્ચય સાધના દ્વારા નિશ્ચયનયના ચારિત્ર પહોચી શકાય છે. પરંતુ તે બધું વ્યવહાર ચારિત્રથી આત્માને કેળવીને જ બને છે. જેમ જગતમાં રોગ ઘણાં છે, તો એના ઔષધ પણ ઘણાં છે. કોઈને કોઈ ઔષધથી વ્યાધિ મટે છે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy