________________
જૈનમતાનુસાર નિશ્ચય-વ્યવહાર
બંનેની અગત્ય પૂ. ઉપા) શ્રી યશોવિજયજી મહારાજે તો પોતાના સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી સાહિત્યમાં અનેકાનેક સ્થલે નિશ્ચયનું સારું પ્રતિપાદન કરેલું છે. તો પછી પ્રશ્ન એ થાય કે,
પ્રવ – પૂ. ઉપાધ્યાયજી મહારાજે સમર્થેલા નિશ્ચયનું પ્રતિપાદન શ્રી નૂતનપંથ કાઢનારા કરે છે, તો નૂતન પંથ ખોટો ક્યાં રહ્યો ?
ઉ0 – આનું સમાધાન સીધું છે. નૂતન પંથ અવિવેકીપણે જૈન મત વિરુદ્ધ એકાંત નિશ્ચયનું અર્થાત્ અગડંબગડે નિશ્ચયનું સમર્થન કરે છે. ત્યારે પૂ. ઉપાધ્યાયજી મહારાજ જૈનમતાનુસારી અનેકાંતિક નિશ્ચયનું એટલે કે વ્યવહારયુક્ત નિશ્ચયનું સમર્થન કરે છે. નૂતન પંથ કાઢનાર એકલા ભાવધર્મ ઉપર અને એકલાં જ્ઞાનમાર્ગ ઉપર જાય છે, ત્યારે જૈનમત અને પૂ. ઉપાધ્યાયજી મહારાજ દ્રવ્યક્રિયા અને ભાવધર્મ, ક્રિયામાર્ગ અને જ્ઞાનમાર્ગ, બંનેનું પ્રતિપાદન કરે છે, બંનેને યથાયોગ્ય ન્યાય આપે છે, બંનેયને કેવી પદ્ધતિથી સાધવા, તે સાધકને શીખવે છે. નૂતન પંથમાં આવું કશું નથી; એમાં તો વ્યવહાર, દ્રવ્યસાધના અને ક્રિયામાર્ગનો ઉચ્છેદ છે. સાધનાની પ્રક્રિયાનો કોઈ વિવેક નથી, કોઈ જ ઢંગધડો નથી. માટે એ જૈનમત નહિ છતાં જૈનમતનો દંભ કરે છે. એના પર વધુ વિચાર કરવા પૂર્વે જરા પૂ. ઉપાધ્યાયજી મહારાજે વ્યવહાર-નિશ્ચય બંનેને આપેલો ન્યાય જોઇએ.
પરમ વિદ્વાન સ્વ-પર સમયવેત્તા પૂ. ઉપાધ્યાયજી મહારાજ, પૂર્વે કહ્યું તે જીવના દ્રવ્ય-ગુણ-પર્યાયની શુદ્ધતા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org