________________
૨૦૩
સુંદર નિશ્ચય સાધનાનો રસ્તો બતાવનાર શ્રી ઉપાધ્યાયજી મહારાજને વ્યવહારમૂઢ એટલે કે એકાંતે વ્યવહારને પકડી રાખનારા કેમ કહેવાય ? એવો આક્ષેપ કરનારા એ જૂઠા છે.
(૧૯) હજી જુઓ પૂ. ઉપાધ્યાય મ. પોતે જ કહે છે કે નિશ્ચયદષ્ટિ વિના એકલા વ્યવહારમાં તો કેવો ગોટો વળે છે.
“કોઈ કહે સિદ્ધાંતમાંજી ધર્મ અહિંસા રે સાર, કેવલ લૌકિક નીતિ હોયે, લોકોત્તર પંથ ભંગ.”
અર્થાત્ બીજા બધાં વચન છોડી એકલું અહિંસાનું વચન પકડે છે, તે તો લૌકિક પદ્ધતિ છે. લોકોત્તર પદ્ધતિમાં તો સર્વે વચનોને પોતપોતાના સ્થાને યોજવાના હોય છે. તે નિશ્ચયદષ્ટિ રાખવાથી બને. એના જ હિસાબે અહિંસા ત્રણ પ્રકારે કહી.
સ્વરૂપ અહિંસા, હેતુ અહિંસા અને અનુબંધ અહિંસા – આમાં નિશ્ચયને ક્યાં ઓછું મહત્ત્વ આપ્યું છે ?
(૨૦) પૂ. શ્રી ઉપાધ્યાયજી મહારાજ તો નિશ્ચયસાધના લાવનારા ભાવધર્મની અગત્ય બતાવવાને લખે છે કે -
“દુર્બલ-નગ્ન-માસ ઉપવાસી, જો છે માયારંગ; તો પણ ગરભ અનન્તા લેશે, બોલે બીજું અંગ. અપુનબંધકથી માંડીને જાવ ચરમ ગુણઠાણ; ભાવ અપેક્ષાએ જિન આણા, મારગ ભાખે જાણ.”
અર્થાત્ બાહ્ય કષ્ટ-તપ વગેરે ઘણાં કરે પણ અંતરાત્મામાં જો માયાનો રંગ છે, જો મિથ્યાત્વ અને તીવ્ર રાગદ્વેષની આધીનતા છે, તો એ જીવ અનંતવાર જન્મ-મરણના દુ:ખ પામશે એવું શ્રી સૂત્રકૃતાંગ નામનું આગમ કહે છે. ખરી રીતે મિથ્યાત્વવાળી પણ અપુનબંધક અવસ્થાથી માંડી છેલ્લા ચૌદમા ગુણસ્થાનક સુધીમાં આત્માના ભાવની અપેક્ષાએ એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org