________________
૨૦૨
જાગૃતિ) વગેરે હાર્દિક સુ-આશયો જો ન હોય, તો એ નકામી ઠરે છે; જ્યારે આશયો દ્વારા તો આત્મા નિશ્ચય ધર્મ, નિશ્ચય સાધના, નિશ્ચય મોક્ષમાર્ગે પહોંચી જાય છે. અહીં નિશ્ચય માર્ગની પોષક આ આશયની કેવી મહાન અગત્ય બતાવી ! આમાં શ્વેતાંબરોની ક્યાં એકાંતે વ્યવહાર' પકડી રાખવાની વાત છે ? ‘નિશ્ચય'ના ઉપર ભાર ક્યાં ઓછો મૂક્યો છે ? (૧૮) પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે,
“દાન હરણાદિક અવસરે, શુભ અશુભ સંકલ્પે; દીએ હરે નિજ રૂપને, મુખે અન્યથા જલ્પે.”
અર્થાત્ દાનમાં બીજાને ધન આપવાની ક્રિયા છે, અને હરણમાં બીજાનું ધન લાવવાની ક્રિયા છે, એમ ઉપલક દૃષ્ટિ એ પર એવા ધનદ્રવ્યની ક્રિયા ભાસે છે. પરંતુ ખરી રીતે ત્યાં હૃદયમાં જે શુભ-અશુભ સંકલ્પો થાય છે, એ આત્માની ક્રિયા છે. એટલે નિશ્ચયથી તો આત્મા પોતાના સ્વરૂપનો દેનારો કે હરનારો બને છે. તે આ રીતે - દાનમાં પોતાની તે ધન ઉપરના મમત્વની વિભાવદશાને દેનારો એટલે કે પોતાનામાંથી દૂર કરનારો બને છે. ત્યારે ધન લઇ લેવામાં તેના ઉપરના મમત્વદશાનું મેલું સ્વરૂપ પોતાના જ આત્મામાં ઘાલનારો બને છે. આમ દાનહરણ ક્રિયાનું નિશ્ચય દૃષ્ટિનું સ્વરૂપ જો આત્મા લક્ષમાં લે, તો દાનમાં ‘મેં દાન કર્યું’ એવું અભિમાન કરવાનું ન રહે. કેમ કે એમ કરવામાં તો એક ધનમમત્વનું મેલું સ્વરૂપ કાઢીને બીજું માનકષાયનું મેલું સ્વરૂપ આત્મામાં કોણ ઘાલે ? એવી રીતે ધનહરણમાંય આત્માનું પોતાનું સ્વરૂપ બગડે છે, એમાં આત્મામાં કચરો પેસે છે, તો એવું હરણનું કામ કોણ કરે ? વ્યવહારના સમર્થનને બદલે પદાર્થની નિશ્ચયદષ્ટિ બતાવીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org